કોરોના વાયરસને લઇ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સજ્જ થઈ ગયું છે. આજે દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી બેઠક મળશે. સરકારી અધિકારીઓ સાથે મંત્રી હર્ષવર્ધન બેઠક કરશે. જેમાં તેઓ કોરોના વાયરસ સામે લડવાની તૈયારીઓની સમીક્ષા કરશે. બેઠક બાદ મંત્રી ડો.હર્ષવર્ધન પત્રકાર પરિષદ સંબોધશે. ત્યારે જાણીએ કે ભારતમાં કોરોના વાયરસને પગલે શું તૈયારીઓ કરવામાં આવી છે.
કોરોના વાયરસ મામલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સજ્જ
સરકારી અધિકારીઓ સાથે મંત્રી હર્ષવર્ધન કરશે બેઠક
કોરોના વાયરસ સામે લડવાની તૈયારીઓની કરશે સમીક્ષા
તેલગાંણા-કર્ણાટક સરકાર પણ કોરોનાને લઇને અલર્ટ
દુનિયાના લગભગ 69 દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસનો (Covid-19) ભારતમાં પગ પેસારો થઈ ચૂક્યો છે. હાલમાં આગ્રા અને નોઈડામાં કુલ 6 નવા કેસ નોંધાયા છે. ત્યારે ભારત સરકાર આ પ્રયાસો કરી રહી છે. કોરોનાને રોકવાનાં.જેમાં એરપોર્ટ પર આવનારા વિદેશી હોય કે ભારતીય તમામની તપાસ કરવામાં આવી રહી છે.
ભારતમાંથી વિદેશજનારી પૈરાસિટામોલ, વિટામિન B12, વિટામિન B6, વિટામિન B1 જેવી કેટલીક દવાઈઓ એક્સપોર્ટ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેથી ભારતમાં આ પ્રકારની દવોની અછત ન સર્જાય.
ચીન, ઈટલી, જાપાન, ઈરાન અને સાઉથ કોરિયાના પ્રવાસીઓના વિઝા પર પ્રતિબંધ મુકવા માટે એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીય નાગરિકોને આ દેશોમાં પ્રવાસ ન કરવા સૂચન કર્યુ છે. આ ઉપરાંત કેટલાય દેશોના વિઝા ઓન અરાઈવલની સુવિધા બંધ કરી દીધી છે અને એક લાંબી પ્રક્રિયા બાદ તેને એન્ટ્રી આપવામાં આવી રહી છે.
COVID-19ને લઈને કેબિનેટ સચિવે સમીક્ષા બેઠક કરી છે. તમામ સંલગ્ન મંત્રાલયના સચિવો, રાજ્યોના મુખ્ય સચિવો અને સ્વાસ્થ્ય સચિવોની સાથે COVID-19ને નિયંત્રણમાં લેવા માટેની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.
એર ઈન્ડિયા દ્વારા અત્યાર સુધી કેટલાય દેશોની ફ્લાઈટો રદ કરી દેવામાં આવી છે જેમાં સિંગાપુર, શાંધાઈ, હોંગકોંગ, બેંકોંક જેવી જગ્યાઓની ફલાઈટનો સમાવેશ થાય છે.
તેલંગાણામાં એક વ્યક્તિને કોરોનાના લક્ષણો દેખાતા તંત્રએ તાત્કાલિક બેઠક બોલાવી હતી.
એરપોર્ટ પર થર્મલ સ્કેનિંગ મશીન મુકવામાં આવ્યાં છે. ચીન, સાઉથ કોરિયા, જાપાન, ઈરાન, ઈટલી, હોંગકોંગ, મકાઉ, વિયેતનામ, ઈન્ડોનેશિયા, નેપાલ સહિતના અનેક દેશોના લોકોની એરપોર્ટ પર તપાસ કરવામાં આવી રહી છે. 21 એરપોર્ટ પર અત્યાર સુધીમાં 5 લાખ લોકોની સ્ક્રીનિંગ તપાસ કરવામાં આવી છે.
દિલ્હી સરકાર તરફથી શહેરમાં 25 હોસ્પિટલને અલર્ટ રખાયા છે. જેમાં 230 બેડને રિઝર્વ રાખવામાં આવ્યા છે. મંત્રીના જણાવ્યાનુંસાર દિલ્હીમાં 3.5 લાખ N95 માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારતમાં સામે આવી રહેલા કેસને જોતા નવી 19 લેબ તૈયાર કરવામાં આવી છે. જ્યારે જરુર જણાશે તો બીજી 50 લેબ તૈયાર કરી દેવામાં આવશે. ભારતમાં સામે આવેલા કેસને ITBP સેન્ટરમાં રાખવામાં આવ્યાં છે.
સરકાર તથા એક્સપર્ટ્સ દ્વારા સલાહ આપવામાં આવી છે કે વાયરસને કારણે સતત થોડા થોડા અંતરે હાથ ધોવો તથા બીજાને હાથ મિલાવવાથી બચવું જોઈએ. જો કોઈને તાવ - ખાંસી છે તો તરત જ ડૉક્ટરની સલાહ લો.