ભારતમાં કોરોનાની રફ્તાર હવે થોડી ધીમી પડતી જોવા મળી રહી છે. પરંતુ એવું નથી કે કોરોના ખતમ થઈ ચૂક્યો છે. શનિવારે કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 580 રહ્યો છે. જે છેલ્લા 98 દિવસનો સૌથી ઓછો આંક છે. આ જોઈને લાગી રહ્યું છે કે કોરોનાની ગતિ ઘટી રહી છે.
શું દેશમાં કોરોનાની ગતિ ઘટી?
98 દિવસમાં પહેલીવાર ઘટ્યો મૃત્યુઆંક
ગઈકાલે 98 દિવસ બાદ મૃત્યુઆંક 580 રહ્યો
98 દિવસ બાદ સૌથી ઓછા મોત
દેશમાં મોટાભાગમાં મહામારી ઘટી રહી છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડાથી કહી શકાય છે કે ભારતમાં 18 જુલાઈ બાદ હવે મોતનો આંક ઘટ્યો છે. સપ્ટેમ્બરમાં મહામારી ચરમ સીમાએ હતી. એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ મોતની સંખ્યા 15 સપ્ટેમ્બરે 1275 મોત સાથે નોંધાઈ હતી. ગઈ કાલે 580 મોત સાથે 98 દિવસ બાદ મોતના આંકમાં ઘટાડો જોવા મળ્યો છે.
શનિવારે 51023 નવા કેસ સામે આવ્યા છે અ્ને કોરોનાના કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના કુલ કેસ 7863913 હતા અને સક્રિય કેસ ઘટીને 6.75 લાખ થયા છે. કોરોનાથી 7069999 લોકો સંક્રમણ મુક્ત થયા છે. ભારતમાં અત્યારે કોરોનાનો રિકવરી રેટ 89.9 ટકાનો છે.
કેરળમાં ફરી એકવાર મહામારી માથું ઉંચકી રહી છે. અહીં 8253 નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં 4116 નવા કેસ આવતાં ટેન્શનની સ્થિતિ કાયમ છે. પરંતુ મહારાષ્ટ્રથી રાહતના સમાચાર આવી રહ્યા છે અહીં સતત છઠ્ઠા દિવસે નવા કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.