24 કલાકમાં દેશમાં 39 હજારથી વધારે મામલા આવ્યા છે. ત્યારે 400થી વધારે લોકોના મોત થયા છે.
24 કલાકમાં 39,361 નવા મામલા આવ્યા
રવિવારે 25 જુલાઈએ 18, 99, 874 રસી લાગી
24 કલાકમાં 11, 54, 444 સેમ્પલની તપાસ
દેશમાં કોરોનાના મામલામાં ઉતાર ચઢાવ જારી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલય અનુસાર દેશમાં સોમવારે 39 હજારથી વધારે મામલા આવ્યા છે. ત્યારે 400થી વધારે લોકોના મોત થયા છે. આ સાથે 35 હજારથી વધારે લોકો સાજા થયા છે.
24 કલાકમાં 39,361 નવા મામલા આવ્યા
મંત્રાલય તરફથી આપવમાં આવેલી જાણકારી અનુસાર ગત 24 કલાકમાં 39,361 નવા મામલા આવ્યા છે. ત્યારે 35,968 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 416 લોકોના મોત થયા છે. નવા આંકડા બાદ દેશમાં હાલમાં 4,11, 189 એક્ટિવ કેસ. 3, 05, 791, 06 ડિસ્ચાર્ડ અને 4,20, 967 ના મોત થયા છે. મળતી જાણકારી મુજબ ગત 24 કલાકમાં કોરોનાના એક્ટિવ મામલામાં 2977 કેસની વૃધ્ધિ થઈ છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ મામલાની સંખ્યા 31, 411, 262 થઈ ગઈ છે.
રવિવારે 25 જુલાઈએ 18, 99, 874 રસી લાગી
રસીકરણની વાત કરીએ તો દેશમાં રવિવાર એટલે કે 25 જુલાઈએ 18, 99, 874 રસી લાગી. આ બાદ કુલ રસીકરણની સંખ્યા 43, 51, 96, 001 થઈ ગઈ છે. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને રવિવારે કહ્યું કે રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલની પાસે કોરોનાના 3.29 ડોઝ ઉપલબ્ધ છે. મંત્રાલયે કહ્યું કે તમામ સ્ત્રોતોના માધ્યમથી અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 45.37 કરોડથી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે તથા 11,79,010 અન્ય ડોઝની આપૂર્તિ કરવા માટે પ્રક્રિયા ચાલી રહી છે. રવિવારે સવારે આઠ વાગે ઉપલબ્ધ આંકડા મુજબ 42, 08, 32, 021 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં વેડફાયેલા ડોઝ પણ સામેલ છે.
24 કલાકમાં 11, 54, 444 સેમ્પલની તપાસ
દેશમાં રસીકરણ માટે નવા ચરણની શરુઆત 21 જૂનને થઈ હતી. રાષ્ટ્રવ્યાપી રસીકરણ કાર્યક્રમ અંતર્ગત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિઃશુલ્ક રસી પુરી પાડી રહી છે. નવા તબક્કા અંતર્ગત સરકારે 75 ટકા રસી ખરીદીને રાજ્યોને આપી છે. આઈસીએમઆરે જણાવ્યું કે રવિવારે 11,54, 444 સેમ્પલની તપાસ થઈ.