કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના 18 હજાર 132 મામલા સામે આવ્યા છે.
24 કલાકમાં દેશમાં કોરોનાના 18 હજાર 132 મામલા આવ્યા
3 કરોડ 32 લાખ 93 હજાર 478 લોકો સાજા થયા
ભારતમાં લગાવવામાં આવેલી કોરોનાની રસી 95 કરોડથી વધારે થઈ
24 કલાકમાં દેશમાં કોરોનાના 18 હજાર 132 મામલા આવ્યા
દેશમાં કોરોના સંક્રમણના મામલામાં ઉતાર ચઢાવનો ક્રમ યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના 18 હજાર 132 મામલા સામે આવ્યા છે. ત્યારે કોરોનાના ચાલતા 193 લોકોના મોત થયા છે. આની સાથે આ દરમિયાન 21 હજાર લોકો 563 કોવિડથી જંગ જીતી ગયા. મંત્રાલય અનુસાર દેશમાં હાલમાં 2 લાખ 27 હજાર 347 એક્ટિવ કેસ છે.
3 કરોડ 32 લાખ 93 હજાર 478 લોકો સાજા થયા
અત્યાર સુધી 3 કરોડ 32 લાખ 93 હજાર 478 લોકો સાજા થઈ ઘરે પાછા ફરી ચૂક્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 4 લાખ 50 હજાર 782 લોકોના મોત થયા છે. નવા મામલા આવ્યા બાદ દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 3 કરોડ 39 લાખ 71 હજાર 607 કેસ આવી ચૂક્યા છે. બીજી તરફ ICMR અનુસાર દેશમાં અત્યાર સુધી 58 કરોડ 36 લાખ 31 હજાર સેમ્પલની તપાસ થઈ ચૂકી છે. આનાથી 10 લાખ 35 હજાર 797 સેમ્પલની તપાસ રવિવારે થઈ.
ભારતમાં લગાવવામાં આવેલી કોરોનાની રસી 95 કરોડથી વધારે થઈ
ત્યારે રસીકરણની વાત કરીએ તો મંત્રાલયે કહ્યું કે દેશમાં અત્યાર સુધી લગાવવામાં આવેલા કોવિડ 19 રસીના ડોઝની કુલ સંખ્યા રવિવારે 95 કરોડના આંકડાને પાર થઈ ગઈ. કો વિન પોર્ટલના આંકડા મુજબ 95 કરોડ 19 લાખ 84 હજાર 373 ડોઝ અપાઈ ચુક્યા છે. જેમાંથી 46 લાખ 57 હજાર 679 ડોઝ રવિવારે આપવામાં આવી હતી.
સ્વાસ્થ્ય કર્મીઓ પહેલા ચરણમાં રસી લગાવવાની સાથે દેશ વ્યાપી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીએ શરુ કરવામાં આવ્યું હતું. કોરોનાની વિરુદ્ધ અગ્રીમ મોર્ચા પર તૈનાત કર્મીઓનું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરુ થયું હતુ.
કોરોના 19 રસીકરણનો બીજો તબક્કો 1 માર્ચથી 60 વર્ષથી વધારે ઉંમરના લોકો અને અન્ય બિમારીઓથી પીડિત 45 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોન માટે શરુ થયો. દેશમાં 1 એપ્રિલથી 45 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકો માટે રસીકરણ શરુ કર્યુ. સરકારે એ બાદ 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોના રસી લગાવવાની પરવાનગી આપીને રસીકરણ અભિયાનનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો.