ગત 24 કલાકમાં એક્ટિવ મામલામાં 440ની વૃદ્ધિ થઈ છે. ત્યારે 477 લોકોના મોત થયા છે.
24 કલાકમાં 440 નવા કેસ, તો 477 લોકોના મોત
70 ટકાથી વધારે દર્દીઓને અન્ય બિમારી
દેશમાં હાલમાં 99 હજાર 763 મામલા એક્ટિવ
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા સંકટની વચ્ચે ભારતમાં કોરોનાના નવા કેસ વધ્યા છે. એટલું જ નહીં ચિંતા એટલે પણ છે કેમ કે નવા કેસની સરખામણીએ કોરોનાથી સાજા થનારાની સંખ્યા ઓછી છે.
24 કલાકમાં 440 નવા કેસ, તો 477 લોકોના મોત
દેશમાં કોરોના સંક્રમણના મામલામાં ઉતાર ચઢાવનો ક્રમ જારી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે ગત 24 કલાકમાં એક્ટિવ મામલામાં 440ની વૃદ્ધિ થઈ છે. ત્યારે 477 લોકોના મોત થયા છે. મંત્રાલયના અનુસાર ગત એક દિવસમાં જ્યાં 8 હજાર 548 લોકો સાજા થયા છે. ત્યારે 9 હજાર 765 નવા મામલા આવ્યા છે. મંત્રાલયના અનુસાર દેશમાં હાલમાં 99 હજાર 763 મામલા એક્ટિવ છે. ત્યારે 3 કરોડ 40 લાખ 37 હજાર 54 લોકો સાજા થયા છે. તો 4 લાખ 69 હજાર 724 લોકોના મોત થયા છે. તેમજ રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધી 1 અરબ 24 કરોડ 96 લાખ 19 હજાર 515 ડોઝ આપવામાં આવી ચૂકી છે. જેમાંથી 80 લાખ 35 હજાર 261 ડોઝ બુધવારે કરવામાં આવી છે.
શું છે રસીકરણની સ્થિતિ
દેશવ્યાપી રસીકરણની શરુઆત 16 જાન્યુઆરીએ થયો અને સૌથી પહેલો તબક્કામાં કર્મીઓને કોરોના રસી લગાવવામાં આવી. તે બાદ 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન કર્મચારીઓને રસી આપવામાં આવી. તે બાદના તબક્કામાં શરુઆત એક માર્ચથી થઈ હતી અને 60 વર્ષથી વધારે ઉમરના અને 45- 59 વર્ષની વચ્ચેના લોકોને રસી આપવાની પરવાનગી અપાઈ હતી. જે પહેલા કોઈ ગંભીર બિમારીથી પીડિત છે. દેશમાં એક એપ્રિલથી 45 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકો માટે રસીકરણ શરુ કરી દેવામાં આવ્યા હતા અને આ બાદ એક મેથી 18 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોને રસી આપવામાં આવી હતી.
ક્યારે કેટલા કેસ આવ્યા
દેશમાં ગત વર્ષ 7 ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધારે થઈ ગઈ હતી. ત્યારે સંક્રમણના કુલ મામલા 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને પાર થયા છે. દેશમાં 19 ડિસેમ્બરે આ મામલા એક કરોડને પાર , આ વર્ષે 4 મેમાં 2 કરોડને પાર અને 23 જૂને 3 કરોડને પાર ચાલ્યા ગયા હતા.
70 ટકાથી વધારે દર્દીઓને અન્ય બિમારી
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે અત્યાર સુધી જે લોકોને કોરોના સંક્રમણથી મોત થયા છે. જેમાંથી 70 ટકાથી વધારે દર્દીઓ અન્ય બિમારીઓ હતી. મંત્રાલયે પોતાની વેબસાઈટ પર જણાવ્યું કે તેમના આંકડાને આઈસીએમઆરના આંકડાની સાથે ભેળવવામાં આવી રહ્યા છે.