ભારતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે એક ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. 7000 કોરોનાના દર્દીની સંખ્યાના આધારે જે દેશોમાં ભારતથી પણ ઓછા મોત થયા છે તે દેશમાં જર્મની, દક્ષિણ કોરિયા, ચીન, ફ્રાંસ અને અમેરિકાનો સમાવેશ થાય છે. ભારતમાં જ્યારે કોરોનાના સંક્રમણનો આંક 8000ને પાર છે ત્યારે મોતની સંખ્યા 273 છે. જર્મનીમાં 7000 કેસમાં માત્ર 13 લોકોના મોત થયા છે. દક્ષિણ કોરિયામાં આ આંક 54 થયો છે.
ભારતમાં વધ્યો કોરોનાનો કહેર
આ દેશો કરતાં ભારતમાં મૃત્યુદર વધુ
ભારતનો મૃત્યુદર ચોંકાવનારો
ભારતમાં કોરોનાનો મૃત્યુદર વધારે
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 8000ને પાર પહોંચી છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસની ઝપેટમાં 8356 લોકો આવ્યા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 7367 થઈ છે. 273 લોકોના મોત થયા છે તો 715 લોકો સારવાર બાદ સાજા થયા છે.
આ દેશો કરતાં ભારતમાં મૃત્યુદર વધુ
કોરોનાના 7000 કેસને આધાર માનીને વાત કરીએ તો દુનિયાના અન્ય દેશોની તુલનામાં ભારતમાં કોરોનાના દર્દીઓના મૃત્યુ ચીન, અમેરિકા અને ફ્રાન્સથી વધારે છે. જર્મની અને દક્ષિણ કોરિયાએ દર્દીઓની સારવારમાં સફળતા મેળવી હતી. જ્યારે ઈટલી, સ્પેન, બ્રિટન, સ્વીડન, નેધરલેન્ડ, બ્રાઝિલમાં મોતનો આંક ભારતથી ઘણો વધારે છે.
અમેરિકા, ચીન , ફ્રાન્સથી પણ ભારતમાં મૃત્યુદર વધારે
7000 કોરોના સંક્રમણના આધારે જે દેશોમાં ભારતમાં મોત ઓછા થયા છે તે દેશમાં જર્મની, દક્ષિણ કોરિયા, ચીન, ફ્રાન્સ અને અમેરિકાનો સમાવેશ થાય છે. ભારતમાં જ્યારે કોરોના સંક્રમણનો આંક 7000 થયો તો મોતની સંખ્યા 249 થઈ. જર્મનીમાં 7000 કેસ સમયે મોતની સંખ્યા 13 હતી. દક્ષિણ કોરિયામાં આ આંક 54નો હતો. ચીનમાં 170 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ફ્રાન્સમાં 7000 કેસ સમયે મોતનો આંક 175 હતો તો ઈરાનમાં આ આંક 237 રહ્યો હતો.
ભારત 10 એવા દેશમાં જ્યાં મોતનો દર છે વધારે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સ્ત્રોતના આંકના આધારેનું વિશ્લેષણ કહે છે કે 7000 કેસમાં 23 દેશોની સૂચિમાં મૃત્યુદરની બાબતમાં 10 એવા દેશોમાં છે જેમાં મૃત્યુદર સોથી વધારે છે.