ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધારે કેસ એટલે કે 75 હજાર 760 કેસ નોંધાયા છે. ભારતમાં સંક્રમિતોનો આંક 33 લાખને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1023 લોકોએ જીવ ગુમાવ્યા છે. કુલ મોતનો આંક 60 હજાર 472 થયો છે. ઉલ્લેખનીય છે કે દુનિયામાં કોરોનાથી થતા મોતમાં ભારત ચોથા નંબરે છે.
ઉલ્લેખનીય છે કે સતત વધી રહેલી કોરોના મહામારીના કારણે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કોરોનાના જે પણ દર્દીઓ આવ્યા છે તેમને ફેફસામાં સંક્રમણ જોવા મળ્યું નથી. આનાથી ખ્યાલ આવે છે કે તે અન્ય અનેક અંગો પર પણ અસર કરે છે. હવે તે ફેફસા પૂરતું સીમીત રહ્યું નથી.
26 अगस्त तक टेस्ट किए गए सैंपल की कुल संख्या 3,85,76,510 है, जिसमें 9,24,998 सैंपल का टेस्ट कल किया गया: भारतीय चिकित्सा अनुसंधान परिषद (ICMR) #COVID19pic.twitter.com/hs4CNTkkRg
એઈમ્સના ડોક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે જેને સામાન્ય વાયરસ સમજ્યો હતો તે ફેફસાથી પણ આગળ અસર કરી રહ્યો છે. જુલાઈ અને ઓગસ્ટમાં કોરોનાના 122 દર્દીઓ એઈમ્સમાં આવ્યા તેમાંથી 53ટકામાં ફેફસાનું સંક્રમણ જોવા મળ્યું નથી. 30 ટકાને પહેલાં પણ કોઈ બીમારી ન હતી. 21 ટકામાં ડાયાબિટીસ અને 20 ટકાને હાઈપર ટેન્શનની સમસ્યા હતી. આ સિવાય કેટલાકમાં ટ્રાસપ્લાન્ટ, કેન્સર અને એચઆઈવી જેવી બીમારીઓ પહેલાંથી હતી.
કોરોના વાયરસના કારણે અલગ અલગ રાજ્યોની સ્થિતિ ખરાબ છે. મહારાષ્ટ્રમાં રોજ નવા કેસનો રેકોર્ડ તૂટી રહ્યો છે. એક દિવસમાં અહીં 14888 નવા કેસ આવતાં કુલ આ 7.18 લાખ થયો છે.
महाराष्ट्र में 14,888 नए #COVID19 मामले और 295 मौतें आज रिपोर्ट हुईं। पॉजिटिव मामलों की कुल संख्या 7,18,711 हुई जिसमें 5,22,427 रिकवर और 1,72,873 सक्रिय मामले शामिल हैं : राज्य सरकार स्वास्थ्य विभाग pic.twitter.com/FFMohWrm1V
દેશમાં 24 કલાકમાં 9 લાખ 24 હજાર ટેસ્ટ થયા છે. એક દિવસ પહેલાંના આંકડા અનુસાર તેમાં એક લાખનો વધારો થયો છે. દેશમાં કુલ 3 કરોડ 85 લાખ 76 હજાર 510 સેમ્પલ લેવાયા છે. ભારતનો ટેસ્ટ પોઝિટિવિટી રેટ 7 ટકાએ પહોંચ્યો છે. રિકવરી રેટ 75 ટકાથી વધુ છે. ભારતમાં શનિવારે પહેલી વાર કોરોનાના 10 લાખથી વધુ ટેસ્ટ થયા હતા.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી કોવિડ-19ના ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. જો કે સારી વાત એ છે કે, ટેસ્ટની સંખ્યા વધ્યા બાદ પણ દૈનિક કેસોની સંખ્યા 1100થી 1200ની વચ્ચે રહી છે. છેલ્લા 24 કલાકમાં 77 હજાર 949 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1197ના રિપોર્ટ પોઝિટિવ છે અને 1047 દર્દીને સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ 17 દર્દીના મોત થયા છે.