દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 32607 નવા કેસ આવ્યા છે અને સાથે જ 614 લોકોના મોત પણ થયા છે. રોજે રોજ કોરોનાના કેસની વધતી સંખ્યા સાથે ભારતમાં કોરોનાનો કુલ આંક 9 લાખ 70 હજાર 179 સુધી પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનો સૌથી વધુ કહેર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ એટલે કે 7975 કેસ નોંધાયા છે.
ભારતમાં કોરોનાનું વરવું રૂપ
દેશમાં 24 કલાકમાં 32607 કેસ, 614 મોત
દેશમાં કોરોનાનો કુલ આંક 9 લાખ 70 હજાર 179 થયો
મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 20646 લોકો સાજા થયા છે અને રિકવર થયેલા લોકોની સંખ્યા હવે 6 લાખ 13 હજાર 669 પહોંચી છે. રિકવરી રેટ 63.24 ટકાએ પહોંચ્યો છે. હજુ પણ દેશમાં 3.31 લાખથી વધુ કેસ એક્ટિવ છે. કોરોનાથી દેશમાં કુલ 24 હજાર 929 લોકોના મૃત્યુ થયા છે.
1390 new #COVID19 positive cases and 62 death have been reported in Mumbai today. Total number of positive cases rise to 96253 including 67830 discharged cases, 22959 active cases and 5464 total death reported till now: Brihanmumbai Municipal Corporation (BMC) #Maharashtrapic.twitter.com/a5qBiSMyy7
મહારાષ્ટ્રમાં 24 કલાકમાં સૌથી વધુ 7 હજાર 975 કેસ નોંધાયા છે અને કોરોનાનો કુલ 2 લાખ 75 હજાર 640 સુધી પહોંચ્યો છે. 24 કલાકમાં બીજા નંબરે તમિલનાડુમાં 4496 કેસ નોંધાયા છે અને અહીં કુલ કેસની સંખ્યા 1 લાખ 51 હજાર 820 થઈ છે. તો અન્ય તરફ કર્ણાટકમાં પણ એક જ દિવસમાં 3176 કેસ નોંધાયા છે અને આંધ્રપ્રદેશમાં 2432 કેસ અને દિલ્લીમાં 1647 કેસ જોવા મળ્યા છે. દિલ્લીમાં પણ કોરોનાનો કુલ આંક 1 લાખ 16 હજાર 993ને પાર પહોંચ્યો છે.
ગુજરાતમાં આવી છે કોરોનાની સ્થિતિ
Gujarat reported 925 COVID-19 cases and 10 deaths in the last 24 hours. With this, state tally has risen to 44,648 including 31,346 discharges and 2,081 deaths: State Health Department
ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 925 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 44,648 પર પહોંચ્યો છે.
1647 new #COVID19 positive cases and 41 deaths have been reported in Delhi today. Total number of cases rise to 116993 including 17807 active cases, 95699 Recovered/Discharged/Migrated cases and 3487 deaths: Delhi Govt pic.twitter.com/XoGJzClU3K
મંગળવારે દેશમાં કુલ 29917 નવા કેસ અને સોમવારે 28178 નવા કેસ આવ્યા હતા. આ સાથે એક જ દિવસમાં 614 લોકોના મોત પણ થયા હતા. બુધવારે ફક્ત મુંબઈમાં 1390 સંક્રમિત કેસ મળ્યા અને 62 લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યા 96253 પહોંચી છે. અહીં 67830 દર્દી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે અને 22,959 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં અહીં 5464 લોકોના મોત થઈ ચૂક્યા છે.