તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં કોરોનાના ચેપથી સાજા થયેલા 50 દર્દીઓને તેમના પરિવારના ઘરે લઈ જવા તૈયાર નથી. આને કારણે આ દર્દીઓ સરકારી કેન્દ્રોમાં રાખવામાં આવી રહ્યા છે. કોવિડ -19 ના નોડલ ઓફિસર ડો.પ્રભાકર રાવે સોમવારે કહ્યું કે, "કોરોનાને માત આપનારા લગભગ 50 લોકોને નેચર ક્યોર હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે."
50 દર્દીઓને તેમના પરિવારના ઘરે લઈ જવા તૈયાર નથી
તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ
સમજાવ્યા પછી ત્રણ કે ચાર લોકો તેમના સંબંધીઓને લઈ ગયા
તેઓના સ્વસ્થ્ય થયા બાદ તેમના પરિવાર તેમને ઘરે લેવા આવ્યા ન નથી. હકિકતમાં પરિવારના સભ્યોને ડર છે કે તેઓને અથવા તેમના બાળકોને ચેપ લાગશે તો. રાવે કહ્યું કે જોકે અમે તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સાજા દર્દીઓમાં 93 વર્ષીય મહિલા સહિત કેટલાક વૃદ્ધ લોકો છે. વૃદ્ધોને ગાંધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. જ્યારે બાકીનાઓને અન્ય જગ્યાએ રાખવામાં આવ્યા છે.
અમે તેમને બળજબરીથી કે પોલીસ દળથી તેમના સબંધીઓને લઈ જવા માટે કહી શકીએ નહીં. અમે તેમને સતત સમજાવવા પ્રયાસ કરી રહ્યાં છીએ કે તંદુરસ્ત લોકો દ્વારા ચેપ લાગવાનું કોઈ જોખમ નથી. અમે સમજાવ્યા પછી ત્રણ કે ચાર લોકો તેમના સંબંધીઓને લઈ ગયા છે.