ગુજરાતમાં પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવા મામલે ઘમાસાણ મચ્યુ છે. આ મામલે રેલવે કહે છે ભાડુ નથી વસુલાતું રાજ્યકક્ષાના મંત્રી કહે છે ભાડુ નથી વસુલાયુ જ્યારે વતન જઈ રહેલા શ્રમિકો પાસે ટિકિટો છે જે તેમણે પૈસા ખર્ચીને વતન જઈ રહ્યા છે.
200 જેટલા લોકો પાસેથી 2 હજાર રૂપિયા લેવાયા.
કેન્દ્ર સરકાર 85 ટકા અને રાજ્ય સરકાર 15 ટકા ભાડું ચૂકવે છેઃ રેલવે
બિનગુજરાતીઓ પાસેથી ટિકિટના રૂપિયા નથી લેવાયા-વાસણ આહિર
બિનગુજરાતીઓ પાસેથી ટ્રેનના ભાડાને લઇને વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. વતન જનારા બિનગુજરાતીઓ પાસેથી ભાડુ લેવાઇ રહ્યું છે. આ અંગે ખુદ પરપ્રાંતિયોએ VTV સમક્ષ પોતાની વેદના જણાવી હતી. તેમણે કહ્યુ હતુ કે અમારી પાસેથી ટિકિટના રૂપિયા વસૂલાયા છે. અને આના બોલતા પુરાવાર રૂપે તેમની પાસે ટિકિટ પણ હતી.
શું કહે છે રાજ્યમંત્રી વાસણ આહિર
બિનગુજરાતીઓને એક પણ રૂપિયા આપવાની વાત આવતી જ નથી. બિનગુજરાતીઓ પાસેથી ટિકિટના રૂપિયા નથી લેવાયા. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ અમે ભાડુ ન લીધું.
મફતમાં મુસાફરીની જાહેરાત હોવા છતા રૂપિયા વસૂલાયા
ભુજમાંથી ઉત્તરપ્રદેશ જતા બિનગુજરાતીઓ પાસેથી રૂપિયા વસૂલાયા છે. તમામ બિનગુજરાતીઓ પાસેથી 2 હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે. 665 ટ્રેન ભાડુ અને ઘરથી સ્ટેશન સુધી પહોંચાડવાના રૂપિયા લેવાયા છે. 200 જેટલા લોકો પાસેથી 2 હજાર રૂપિયા લેવાયા.
શું કહે છે રેલવે?
અગાઉ રેલવે મંત્રાલયે લોકો પાસેથી ભાડું ન લેવાતો હોવાનો દાવો કર્યો છે. કેન્દ્ર સરકાર 85 ટકા અને રાજ્ય સરકાર 15 ટકા ભાડું ચૂકવે છે.