કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ હવે દીન પ્રતિદિન કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ચિંતામાં વધારો થયો છે. સરકાર દ્વારા લોકોને બહાર ન નીકળવા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. પરંતુ કેટલાક મહાનુભાવો દ્વારા નિયમોનો ભંગ પણ કરવામાં આવ્યો. તેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. કોરોના વાયરસની હજુ સુધી કોઈ વેક્સિન બની નથી ત્યારે WHOએ જીવ લેતા આ વાયરસ સામે બચવાનો એક માત્ર રસ્તો બતાવ્યો છે.
કઈ છે હાથ ધોવા માટેની સાચી રીત ?
શું રાખશો ખાસ ધ્યાન?
કેવી બીમારીઓથી મળશે મુક્તિ?
WHOના કહેવા મુજબ જો વ્યિક્ત પોતાની આસપાસ સફાઈમાં ધ્યાન આપે. સંક્રમિત વ્યિક્તના સંપકામાં ન આવે અને સમયે સમયે નિયમિત હાથ ધોવે તો કોરોનાથી બચી શકાય છે. આ જાણકારી લોકો સુધી ફેલાઈ છે પરંતુ લોકો સુધી કઈ રીતે હાથ ધોવા તેની સાચી જાણકારી પહોંચી નથી. હાથ ધોવા માટે એક ચો[સ પ્રકાર છે. પરંતુ તેનું કોઈ પાલન કરતું નથી. કારણ કે જાણકારીનો અભાવ છે. ત્યારે અમે આપને તેની સાચી જાણકારી આપીશું.
કઈ છે હાથ ધોવા માટેની સાચી રીત ?
WHOના કહેવા પ્રમાણે
હાથ ધોવ માટે હુંફાળા પાણીનો ઉપયોગ ન કરો
સાબુ કે સેનિટાઈઝર જેવા લિક્વિડનો ઉપયોગ અવશ્ય કરો
અંદાજિત 20 સેકેન્ડ સુધી બન્ને હાથને બરાબર મસળો
હાથ ધોયા બાદ કપડા કે ડ્રાયરથી સાફ કરવાનું ન ભૂલશો
હાથ ધોતી વખતે બન્ને હથેળિયોને બરાબસ ઘસો
બન્ને હાથની આંગળિયો, અંગુઠાને પરસ્પર મસળો
હાથના પાછળના ભાગે પણ સાબુ લગાવો
હાથ ધોયા બાદ સ્વચ્છ કપડાથી હાથને લૂછી લો
શું રાખશો ખાસ ધ્યાન?
આંખ, નાક કે પછી મોઢા પર હાથ લગાવ્યા બાદ તરત જ તેને ધોઈ નાંખો.
મોઢા પર હાથ રાખીને છીંક ખાધી હોય તો તરત જ હાથને ધોઈ નાંખો.
ભોજન લેતા પહેલા હાથને સાફ કરવાનું ન ભૂલશો.
આ સિવાય કે બહારના વ્યિક્તના સંપર્કમાં આવ્યા બાદ બન્ને હાથને બરાબર સાફ કરવાનું ન ભૂલશો.
આ સિવાય શૌચક્રિયા પછી પણ હાથ ધોવાનું ન ભૂલશો.
વિવિધ પ્રકારના કેમિકલને અડયા પછી પણ હેન્ડ વોશ કરો
ટોયલેટ ગયા પછી પણ હંમેશા હાથ સાફ કરો.
કેવી બીમારીઓથી મળશે મુક્તિ?
હાથ ધોવામાં લાપરવાહી રાખવાથી ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. સાચી રીતે હાથ ધોઈને તમે કોરોના વાયરસના સંક્રમણમાંથી આવવાથી બચી શકો છો. તમે સારી રીતે હાથ નહીં ધોવો તો તમને થ્રોટ ઈન્ફેક્શન, ડાયરિયા, ફૂડ પોઈઝનિંગ કે લૂઝ મોશન જેવી મુશ્કેલીઓ થઈ શકે છે.જે મનુષ્યનો જીવ પણ લઈ શકે છે....માટે ડરો નહીં પણ સાવચેત રહો.