કેન્દ્ર સરકારે દુકાનો અને નોકરી ધંધા ખોલવા માટે શરતી મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે દેશવ્યાપી લૉકડાઉન લાગુ રાખીને 3 મે સુધી લંબાવ્યું છે. આ વચ્ચે ગૃહમંત્રાલયે એક મોટો આદેશ જાહેર કર્યો છે. જાણકારી મળ્યા મુજબ દેશમાં આજથી તમામ દુકાનો શરતોની સાથે ખોલવાની મંજૂરી આપી દેવાઈ છે. દુકાનોમાં માત્ર 50 ટકા જ સ્ટાફ કામ કરી શકશે. આ અંગે આજે ગુજરાતમાં રાજ્યસરકાર કોઈ મોટા નિર્ણય લેશે એ અંગે નાયાબ મુખ્યમંત્રી મહત્વની વાતો જણાવી હતી.
CM નિવાસસ્થાને શું ચર્ચા થશે?
કેન્દ્ર સરકારે દુકાનો ખોલવા આપી મંજૂરી
રાજ્ય સરકાર કરી શકે છે જાહેર
કેન્દ્ર દ્વારા શરતો સાથે દુકાનો ખોલવાની મંજૂરીનો મામલે આજે કેન્દ્રની જાહેરાત સંબંધે રાજ્ય સરકાર જાહેરાત કરી શકે છે. આ મુદ્દે નીતિન પટેલ અગત્યની વાત જણાવી હતી.
શું કહ્યુ નીતિન પટેલે?
કેન્દ્ર સરકાર દ્વારા દુકાનોને છૂટ આપવાનો મામલે નાયાબ મુખ્યમંત્રી નીતિટ પટેલે નોટિફિકેશન મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, નાગરિકોને ધીમેધીમે રાહત મળે તે જરૂરી છે. રાજ્ય સરકાર નોટિફિકેશન પર વિચાર કરશે. નોટિફિકેશન પર CM સાથે ચર્ચા કરીશુ.
CM નિવાસસ્થાને ચર્ચા બાદ લેવાઇ શકે છે નિર્ણય
દેશમાં લોકડાઉનની વચ્ચે આજથી દુકાનો ખોલવાની મંજૂરી અપાઇ છે. ગૃહ મંત્રાલયે આજથી શરતોને આધિન દુકાનો ખોલવા માટે મંજૂરી આપી છે. તો કેન્દ્રની જાહેરાત સંબંધે રાજ્ય સરકાર આજે જાહેરાત કરી શકે છે. CM નિવાસસ્થાને ચર્ચા બાદ નિર્ણય લેવાઇ શકે છે. ચીફ સેક્રેટરી, ઉદ્યોગ-ખાણ વિભાગના અગ્ર સચિવ સાથે ચર્ચા થશે. હોટસ્પોટ-ક્લસ્ટર ક્વોરન્ટાઇન સિવાયના સ્થળો અંગે ચર્ચા થશે. રાજ્ય સરકાર પાસે કેન્દ્રની જાહેરાત અન્વયે નિર્ણય લેવાની સત્તા છે.
CM બેઠકના મહત્વના મુદ્દા
ચીફ સેક્રેટરી,ઉદ્યોગ-ખાણ વિભાગના અગ્ર સચિવ સાથે થશે ચર્ચા
હોટસ્પોટ-ક્લસ્ટર ક્વોરન્ટાઇન સિવાયના સ્થળો અંગે થશે ચર્ચા
રાજ્ય સરકાર પાસે કેન્દ્રની જાહેરાત અન્વયે નિર્ણય લેવાની સત્તા
શું છે કેન્દ્ર સરકારના આદેશ?
કેન્દ્ર સરકારે દેશવ્યાપી લૉકડાઉન લાગુ રાખીને 3 મે સુધી લંબાવ્યું છે. આ વચ્ચે ગૃહમંત્રાલયે એક મોટો આદેશ જાહેર કર્યો છે. જાણકારી મળ્યા મુજબ દેશમાં આજથી તમામ દુકાનો શરતોની સાથે ખોલવાની મંજૂરી આપી દેવાઈ છે. દુકાનોમાં માત્ર 50 ટકા જ સ્ટાફ કામ કરી શકશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 24, 2020
મૉલ અને શૉપિંગ કૉમ્પ્લેક્સ નહીં ખૂલે
કેન્દ્ર સરકારના ઓર્ડર મુજબ મહાનગરપાલિકાની હદમાં આવેલા માર્કેટ કોમ્પ્લેક્સ, મોલ, સિંગલ બ્રાંડ અને મલ્ટી બ્રાંડ મોલ્સમાં આવેલી દુકાનો માટે આ નિયમ લાગુ પડશે નહી એટલે કે આ દુકાનો ખોલવા માટે મંજુરી આપવામાં આવી નથી.
આ વિસ્તારોમાં દુકાનો નહીં ખોલી શકાય
સરકારે જણાવ્યું હતું કે, હોટસ્પોટ અને કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા હોય તેવા વિસ્તારોમાં કોઈ પણ દુકાનો કે ધંધા રોજગારને શરૂ કરવામાં નહીં આવે. હાલની પરિસ્થિતિએ આવા તમામ સ્થળોએ દુકાનો બંધ જ રહેશે.
આ નિયમોનું પાલન કરવું પડશે
સરકારના આદેશ મુજબ આવાસ કોલોનીઓની બાજુની દુકાનો અને સ્ટેન્ડ અલોન દુકાનો ખોલવાની મંજૂરી અપાઈ છે જે નગરપાલિક અને મહાનગરપાલિકાની હદમાં આવતી હોય. શરતો મુજબ તમામ દુકાનો શૉપ એસ્ટાબ્લીશમેન્ટ હેઠળ રજિસ્ટર્ડ હોવી જોઈએ. દુકાનોમાં 50 ટકા જ સ્ટાફ હોવો જોઈએ. ઓર્ડર મુજબ જે લોકો પોતાની દુકાનો ખોલે છે તેઓએ પોતાના સ્ટાફ માટે માસ્ક અને ગ્લવ્ઝ સહિત તમામ વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ કડક રીતે પાલન કરવાનું રહેશે.