ગુજરાતમાં સરકાર દ્વારા આંકડાની માયાજાળથી સબસલામતના દાવા કરવામાં આવી રહ્યા છે પણ સ્મશાન તો કંઈક ઓર જ મરશિયા ગાઈ રહ્યા છે, VTV ના રિયાલિટી ચેકમાં જે ખુલાસા થયા તે જોઈ આપ પણ ચોંકી જશો જુઓ વીડિયો સહિતનો અહેવાલ.
2 કલાકનું રિપોર્ટિંગ,ખુલાસો હચમાચી નાંખે તેવો
અમદાવાદ જેવી જ સ્થિતિ અન્ય શહેરોમાં હશે?
3 સ્મશાનમાં 2 કલાકમાં 15થી 20 અંતિમસંસ્કાર
સરકાર જનતા સાથે આંકડાનો ખેલ VTV એ ખુલ્લો પડ્યો છે. VTV એ રાત્રે 10 થી 12 દરમિયાન 3 સમશન ગૃહની કરી રિયાલિટી ચેક કરી હતી. 10થી 11 દરમિયાન થલતેજ સ્માશાન ગૃહમાં કોરોનાથી મૃત્યુ થયેલી 6 ડેડ બોડી આવી હતી. વળી થલતેજ સ્માશાન ગૃહમાં એક એમ્બ્યુલન્સમાં 2 ડેડ બોડી પડી હતી. 11.15 વાગ્યે દુધેશ્વર સ્માશાન ગૃહમાં પણ વેઈટીંગ જોવા મળ્યું હતુ. અહીં આવેલા સ્વજને કહ્યું અમારી આગળ 4 વેઈટીંગ છે
રાત્રે 10 થી 12 દરમિયાન 3 સ્મશાન ગૃહમાં 10 ડેડબોડી નજરે જોઈ
VTV જ્યારે રાત્રે 11.30 કલાકે વાડજ સ્માશાન ગૃહ પહોંચ્યું તો ત્યાં 2 ડેડબોડી જોવા મળી અને ઉભેલા સ્વાજને કહ્યું અમે કલાકથી અહીં વેઈટીંગમાં છીએ. રાત્રે 10 થી 12 દરમિયાન 3 સ્મશાન ગૃહમાં 10 ડેડબોડી નજરે જોઈ હતી. વેઈટીંગ સાથે માત્ર 2 કલાકમાં 15 થી 20 લોકોનું સ્માશાન આવ્યા હતા.
24 કલાકના સરકારી આંકડાથી પણ વધુ અંતિમસંસ્કાર!
એક તરફ સરકાર મૃત્યુના આંકડા આખા રાજ્યના 10 કે 12 આપે છે ત્યારે બીજી તરફ આ સત્ય ડરામણું છે. અમદાવાદમાં માત્ર 2 કલાકમાં 3 શમશનમાં 20 ડેડબોડીનું અગ્નિ દાહ થયું તે નજરે નિહાળવામાં આવ્યુ છે. હિંદુ ધર્મ મુજબ દિવસે અગ્નિ દાહના બદલે સત્ય છુપાવા સરકાર લોકો સાથે રમત રમે છે અને રાતે બારોબાર અગ્નિદાહ આપી દે છે.
ગાંધીનગરમાં પણ મોતના આંકડા વચ્ચે મોટો તફાવત
બીજી બાજુ ગાંધીનગર સિવિલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીનો મૃત્યુઆંક વધી રહ્યો છે. છેલ્લા 18 દિવસની જો વાત કરીએ તો અહીં 166 દર્દીઓના મોતનો આંકડો જાણવા મળી રહ્યો છે જ્યારે સરકાર ચોપડે માત્ર 6ના મોત દર્શાવાયા છે. સેક્ટર 30 સ્મશાન ગૃહમાં 166 મૃતદેહોને કોવિડ ગાઈડલાઈન પ્રમાણે અગ્નિદાહ અપાયો છે. ત્યારે એવા આક્ષેપ થઈ રહ્યાં છે કે સ્થાનિક તંત્ર મરણના આંકડા છુપાવી રહ્યાં છે.