ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર સાતમ આઠમનો તહેવાર આવતો હોવાથી કોરોનાની મહામારી ન ફેલાય તે માટે મંદિરના દ્વાર બંધ કરાયા છે. હાલ ગુજરાતમાં કોરોનાની મહામારી દિવસેને દિવસે વકરી રહી છે ત્યારે વિરપુર જલારામ મંદિરનો આ નિર્ણય આવકારવાદાયક છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર બંધ રાખવા નિર્ણય
જન્માષ્ટમીના પર્વમાં મંદિરમાં ભીડ વધે તેવી શક્યતાને જોતા લેવાયો નિર્ણય
કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાઇ તે માટે લેવાયો નિર્ણય
રાજકોટ ગ્રામ્યમાં કોરોનાના વધતા જતાં કેસના કારણે વિરપુરમાં જલારામ મંદિરને 8 ઓગસ્ટથી ફરી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
8 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો
સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ 8 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જન્માષ્ટમીની રજામાં યાત્રાળું વધુ સંખ્યામાં મંદિરમાં આવી શકે છે. આ શક્યતાને જોતો કોરોના વાયરસને કારણે 8થી 12 ઓગસ્ટ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
દાન નથી લેવાતુ વીરપુરમાં
જલારામ મંદિરમાં ક્યાંય દાન સ્વીકારવામાં આવતું નથી, દાન લીધા વગર પણ રોજના હજારો ભાવિક ભક્તજનોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. તેમજ વિરપુર જલારામ મંદિરમાં પણ ભક્તજનોને ભોજનપ્રસાદ લઈને જ જવા મંદિરના સેવકો દ્વારા આગ્રહ કરવામાં આવે છે. છેલ્લા 200 વર્ષથી વિરપુરમાં શ્રદ્ધાળુઓને ભોજન આપતું સદાવ્રત યથાવત છે.