ગુજરાતમાં કોરોનાના કેસ વધાવાને કારણે લોકો આપોઆપ સ્વૈચ્છિક લોકડાઉન આપી રહ્યા છે.
કોરોનાને પગલે આપોઆપ લોકો પાળી રહ્યા છે લોકડાઉન
જામનગરના મોટી બાણુગાર ગામે સ્વૈચ્છિક લોકડાઉન
દાહોદના આ આ ગામમાં ગ્રામપંચાયત દ્વારા અપાયું લોકડાઉન
જામનગરના મોટી બાણુગાર ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. સપ્તાહમાં 25 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે રાતથી 11 એપ્રિલ સુધી લોકડાઉન પાળવામાં આવશે. દૂધની ડેરી સવારે માત્ર 2 કલાક જ ખુલ્લી રહેશે. સંપૂર્ણ લોકડાઉનની રાતના 8 વાગ્યથી અમલવારી કરવામાં આવશે.
દાહોદના આ આ ગામમાં ગ્રામપંચાયત દ્વારા અપાયું લોકડાઉન
દાહોદમાં ફતેપુરાના બલૈયામાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામપંચાયત દ્વારા લોકડાઉન અપાયું છે. આજથી 6 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન અપાયું છે. સવારના 10 વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રહેશે અને નિયમનો અનાદર કરનાર વેપારીને 1000નો દંડ કરવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2640 કેસ નોંધાયા છે અને 2066 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,94,650 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 11 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
અત્યાર સુધીમાં 4539 લોકોના થયાં મોત
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4539 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાની રફતાર વધી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 621 કેસ અને ગ્રામ્યમાં 8 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 506 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 138 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 322 કેસ, જ્યારે ગ્રામ્યમાં 53 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 262 કેસ અને ગ્રામ્યમાં 45 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
કેટલા લોકોને અપાઇ વેક્સિન ?
ગુજરાતમાં અત્યાર સુધીમાં 57,75,904 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 7,30,124 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 65,06,028 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
અમદાવાદની એક જ સોસાયટીના 140 જેટલા લોકો કોરોના પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહરેના ગોતા વિસ્તારમાં આવેલ ICB ફ્લોરા સોસાયટીમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. ICB ફ્લોરામાં 36 મકાન માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં છે. આ સોસાયટીમાં 36 મકાનના 140 જેટલા નાગરિકોને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જો કે, આ પહેલા પણ ICB ફ્લોરા કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવી ચૂક્યું છે.
અમદાવાદમાં બાળકોમાં કોરોનાનુ સંક્રમણ વધ્યુ
સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના 6 બાળકોને કોરોના પોઝિટિવ છે. બાળકોને કોરોના વધતા ડોકટરો અને માતા-પિતામા ચિંતા વધી છે. કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે અલગ વોર્ડ બનાવાયો છે. પોઝિટિવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરાઈ છે. ડો રજનિશ પટેલ જણાવ્યું હતુ કે, સગર્ભા મહિલાઓએ હવે સાવચેત રેહવું પડશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ નો આંકડો 540 પર પહોંચ્યો છે.