ગુજરાતમાં કોરનાના કેસ રોજ નવો રેકોર્ડ તોડી રહ્યા છે ત્યારે શહેરો બાદ હવે ગામડાઓમાં પણ આ આતંક પહોંચી ગયો છે જેને પગલે એક પછી એક ગામના લોકો સ્વંભૂ લોકડાઉન આપી રહ્યા છે.
સ્વયંભૂ લોકડાઉન કરતા નગરો અને ગામો
જુનાગઢના મજેવડીમાં સ્વેચ્છાએ લોકડાઉન
વંથલીના સાંતલપુરમાં 8 દિવસનુ લોકડાઉન
સ્વયંભૂ લોકડાઉન કરતા નગરો અને ગામો
જુનાગઢના મજેવડીમાં સ્વેચ્છાએ લોકડાઉન આપ્યુ છે. જ્યારે વંથલીના સાંતલપુરમાં 8 દિવસનુ લોકડાઉન જાહેર કરાયુ છે. કેશોદના બામણાશા 15 દિવસનુ લોક ડાઉન જાહેર કર્યુ છે એટલુ જ નહીં પણ ખંભાલીયામાં પણ આજે સાંજે 4 વાગ્યા પછી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.
રાજકોટમાં પણ વધુ એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનું નક્કી કર્યુ છે. રાજકોટના હડાલા ગામ આજથી 15 એપ્રિલ સુધી સ્વયંભૂ બંધ છે. દુકાનો સવારે 2 કલાક જ ખુલ્લી રહેશે. ગ્રામજનો દ્વારા સ્વંયભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.
પાંચ મોટા શહેરોમાં કામગીરી બંધ
રાજ્યના પાંચ મોટા શહેરોમાં આજથી કોર્ટમાં ફિજિકલ કામગીરી બંધ રહેશે. રાજ્યની કોર્ટોમાં 50 ટકા કોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હાઇકોર્ટનો કોર્ટમાં ફિજિકલ કામગીરી બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરતની તમામ કોર્ટમાં કામગીરી બંધ રહેશે. વડોદરા, જામનગરની તમામ કોર્ટમાં પણ ફિજિકલ કામગીરી કરવામાં નહીં આવે.
ક્યાં સુધી ફિઝિકલ કામગીરી રહેશે બંધ
કોરોનાનું સંક્રમણ વધ્યુ હોવાને કારણે 17 એપ્રિલ સુધી કોર્ટમાં ફિજિકલ કામગીરી બંધ રહેશે. હાલ માત્ર કોર્ટ સ્ટાફ અને અર્જન્ટ સુનાવણી માટે જ વકીલને પ્રવેશ આપવામાં આવશે.
CM રૂપાણીની મોટી જાહેરાત
કોર કમિટી બેઠક પૂર્ણ થયાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. તો મોટા મેળાવડાઓ પર આગામી 30 એપ્રિલ સુધી પ્રતિબંધ લાદ્યો હતો.
લગ્ન પ્રસંગે 100 લોકોને જ મળશે મંજૂરી
લગ્ન પ્રસંગોને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું કે, લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી છે.
અમિત શાહ સાથે સમગ્ર સ્થિતિ મુદ્દે કરાઇ ચર્ચા
નોંધનીય છે કે, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય ખાતાના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં આ બેઠક કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે યોજાઈ હતી. જેમાં રાજ્યની કોરોના કેસની સ્થિતિ અંગે ચર્ચાઓ કરાઇ હતી અને લોકડાઉન અને કર્ફ્યૂ મુદ્દે પણ મંથન કરવામાં આવેલ.
પ્રજાના હિતમાં નિર્ણય લેવાની CM રૂપાણીએ કરી વાત
કોરોના સંક્રમણ વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જ્યાં તેમણે હાઇકોર્ટના વિકેન્ડ કર્ફ્યૂના નિર્દેશને લઈને પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, એડવોકેટ જનરલ સાથે ચર્ચા કરીને પ્રજાના હિતમાં નિર્ણય લેવાશે.
રાજ્યમાં વિકેન્ડ કર્ફ્યુની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન
ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે. રાજ્યમાં 2-3 દિવસના વિકેન્ડ કર્ફ્યુની જરૂરિયાત હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે. રાજ્યમાં સરકાર 2 કે 3 દિવસના વિકેન્ડ કર્ફ્યું લગાવે તેઓ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. રાજ્યમાં કડકાઇની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન કર્યું છે. રાજ્ય સરકાર 2 દિવસમાં વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરે તેવી સંભાવના છે.
હાઈકોર્ટે શું કર્યા નિર્દેશ?
કોરોનાની ચેઇન તોડવી જરૂરીઃ હાઈકોર્ટ
હાલની સ્થિતિ કર્ફ્યુ લગાવવા જેવીઃ હાઈકોર્ટ
કોરોનાને અટકાવવા નક્કર પગલાં જરૂરીઃ હાઈકોર્ટ
રાજકીય મેળવડા બંધ કરાવવા નિર્દેશ
જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા નિર્દેશ
કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા નિર્દેશ
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બની રહી છે વિકટ
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથને આપ્યા નિર્દેશ