ગુજરાતમાં કોરોના વાયરસ વધી રહ્યુ છે ત્યારે અમદાવાદમાં કોરોનાએ માઝા મુકી છે. અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં 30 એપ્રિલ સુધી તમામ દુકાનો 2 વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન અપનાવ્યુ છે.
અમદાવાદના વસ્ત્રાપુર વેપારી એસો.નો નિર્ણય
બપોર પછી દુકાનો રહેશે બંધ
30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ
રાજ્યભરમાં કોરોના સંક્ર્મણ સતત વધી રહ્યું છે. તો લોકડાઉનની માંગ પણ ઉઠી છે. ત્યારે સરકારે તો કોઈ લોકડાઉનની જાહેરાત નથી કરી પણ વધતા કોરોના સંક્રમણને લઇ અમદાવાદ શહેરની જનતામાં જાગૃતતા જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં સ્વંયભૂ લોકડાઉન જોવા દ્રશ્યો જોવા મળ્યા. અમદાવાદમાં મોલ સિવાયની દુકાનો પણ બંધ જોવા મળી. અલગ અલગ સુપર માર્કેટ પણ બંધ જોવા મળ્યા. કોરોનાના તાંડવ સામે અમદાવાદમાં જાગૃતતા જોવા મળી રહી છે
અમદાવાદના વસ્ત્રાપુરમાં બપોર બાદ દુકાનો બંધ રહેશે
અમદાવાદના વસ્ત્રાપુરમાં બપોર બાદ દુકાનો બંધ રહેશે. વસ્ત્રાપુર વેપારી એસોસિયેશન દ્વારા જાહેરાત કરાઇ છે. 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે.
વસ્ત્રાપુરમાં વહેલી સવારથી જ લાઈન
વસ્ત્રાપુરમાં વહેલી સવારથી જ લાઈન લાગી હતી. લોકોએ ટેસ્ટિંગ માટે લાીનો લગાવી હતી. અમદાવાદમાં કોરોનાના ટેસ્ટિંગ માટે વસ્ત્રાપુર સહિત આખા અમદાવાદમાં લાંબી લાઈનો લાગી છે. અમદાવાદમાં કોરોનાને લઈને બગડતી સ્થિતિને પગલે લોકો ટેસ્ટ કરાવવા દોડી રહ્યા છે. રેપીડ ટેસ્ટ, RTPCR ટેસ્ટ માટે લાંબી લાઈનો લાગી છે.
આજથી અમદાવાદની શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટના રિપોર્ટ મોકલાશે. ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત નિરમા યુનિવર્સિટીમાં પણ RTPCR ટેસ્ટ મોકલાશે. RTPCR ટેસ્ટના સેમ્પલ યુનિવર્સિટીમાં મોકલવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓમાં સેમ્પલ કલેકશનથી લેબોરેટરી ઉપર ભારણ ઓછુ થશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 10,340 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 110 લોકોના મોત નિપજ્યા છે. અને 3,981 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,37,545 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 110 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 110 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5377 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 329 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 61,647 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3641 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 53 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1929 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 496 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 325 કેસ, જ્યારે ગ્રામ્યમાં 184 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 683 કેસ અને ગ્રામ્યમાં 128 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...