વલસાડ જિલ્લા કલેકટર દ્વારા વેપારીઓને સાથે રાખી સ્વૈચ્છિક નિર્ણય કરી અને હવે પછી રવિવારે જિલ્લામાં સંપૂર્ણ બંધ રાખવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
અહીં સ્વંયભૂ નાઈટ કર્ફ્યૂ અમલી
રવિવારે બજારો સંપૂર્ણ બંધ
જરૂર પડશે તો શની-રવિ બે દિવસ રખાશે બંધ
રાજ્ય ના અન્ય વિસ્તારો ની જેમ વલસાડ જિલ્લામાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી જિલ્લામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિને કાબૂમાં રાખવા વિશેષ કડક નિયમોનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જે મુજબ વલસાડ જિલ્લા કલેકટર દ્વારા વેપારીઓને સાથે રાખી સ્વૈચ્છિક નિર્ણય કરી અને હવે પછી રવિવારે જિલ્લામાં સંપૂર્ણ બંધ રાખવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
આવતા રવિવારથી જ વલસાડ જિલ્લામાં જિલ્લાના તમામ બજારો ,દુકાનો , હોટેલ, રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા સહિતના તમામ સ્થળો અને ઓફિસો સંપૂર્ણપણે બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે અને કોવીડ ના નિયમો ના ભંગ બદલ કડક કાર્યવાહી ની પણ વલસાડ જિલ્લા કલેક્ટરે ચીમકી ઉચ્ચારી છે. આથી રવિવારે પણ સ્વૈચ્છિક બંધ દરમિયાન દરમિયાન જિલ્લામાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે અને નિયમના ભંગ બદલ કસુરવારો વિરુદ્ધ કડક કાર્યવાહીના પણ આદેશો આપી દેવામાં આવ્યા છે.
ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અધિકારીઓ ની જવાબદારીઓ પણ ફિક્ષ કરવામાં આવી છે.ગ્રામ્ય વિસ્તારોમાં નીયમો ના ભંગ બદલ તલાટીઓ ને જવાબદાર ઠેવરવવા માં આવશે તેવા પણ આદેશ આપવામાં આવ્યા છે. આમ વલસાડ જિલ્લામાં હવે આવતા રવિવારથી સંપૂર્ણપણે બંધ પાડવામાં આવશે.
જરૂર જણાય તો આગળ શની રવિ બંને દિવસ. બંધની નિર્યણ પણ કરવામાં આવી શકે છે તેવો પણ સંકેત આપ્યો છે. મહત્વપૂર્ણ છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા વલસાડ જિલ્લાના વલસાડ પારડી અને વાપીમાં પણ જે તે પોલીસ સ્ટેશન કે નગરપાલિકા કે નોટિફાઇડ વિભાગ દ્વારા વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠક દરમિયાન હવે જિલ્લામાં રાત્રીના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી વેપારીઓ પણ સ્વયંભૂ દુકાનો બંધ રાખવા સહમત થયા છે.
આમ વલસાડ જિલ્લામાં અઠવાડિયાના તમામ દિવસે રાત્રિના 8 વાગ્યા થી 6:00 વાગ્યા સુધી સ્વૈચ્છિક બંધ નો નિર્ણય લેવાાઈ રહ્યા છે.. અને વધુમાં રવિવારે કલેકટરના આદેશ બાદ હવે જિલ્લાના તમામ જગ્યાએ બંધ પાડવા નું રહેશે. આમ વલસાડ જિલ્લામાં કોરોના ને કારણે પરિસ્થિતિ વણસે નહીં તે માટે તંત્ર દ્વારા આગમચેતી ના પગલાં લેવાઇ રહ્યાં છે