ગુજરાતમાં શ્રમિકો વતનની વાટ પકડી છે અને ટ્રેન, બસ, લક્ઝરી દ્વારા ગુજરાતમાં ફસાયેલા લોકોને પોત પોતાને ઘરે જવા દેવામાં આવી રહ્યા છે પરંતુ વાત આટલેથી અટકી નથી. વિવાદોની વચ્ચે આ પરપ્રાંતિયો પાસેથી વડોદરામાં વતન મોકલવા માટે ભાડા પેટે 1050 રૂપિયા વસૂલાયા છતાં પણ તેમને પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પૂર ન કરી શકનારી ગુજરાત સરકાર સામે સવાલો ઉઠી રહ્યા છે.
વડોદરામાં શ્રમિકોની હાલત કફોડી
બિહાર જવા માટે બસમાં લવાયા છે શ્રમિકો
સવારે 7 વાગેથી બસમાં બેઠા છે શ્રમિકો
શ્રમિકોને નથી મળ્યુ પાણી નથી જમવાનુ
કેન્દ્ર સરકારે છેલ્લા દોઢ મહિનાથી ફસાયેલા લોકોને પોતાના વતન જવા માટે મંજૂરી આપતા જ ગુજરાત સહિત દેશભરમાં ફસાયેલા અન્ય રાજ્યોના નાગરિકોએ પોતાના વતન જવા તૈયારી કરી લીધી હતી ત્યારે આ શ્રમિકો પાસેથી ભાડુ વસુલીને તેમને વતન મોકલી રહેલી સરકાર પર પ્રશ્નો ઉઠી રહ્યા હતા. એવામાં આ શ્રમિકો પાસેથી ભાડુ વસુલાયા બાદ પણ તેમને કોઈ સગવડો અપાઈ નથી રહી. ન તેમને પાણી અપાઈ રહ્યુ છે ન બીજી કોઈ સવલત.
શ્રમિકો મામલે તંત્ર નિંદ્રામાં ઝડપાયું
શ્રમિકો મામલે તંત્ર નિંદ્રામાં ઝડપાયું છે. વડોદરામાં શ્રમિકોની હાલત કફોડી થઈ છે. બિહાર જવા માટે શ્રમિકો બસમાં લવાયા છે. સવારે 7 વાગ્યેથી શ્રમિકો બસમાં બેઠા છે. શ્રમિકોને પાણી કે જમવાનું નથી મળી રહ્યું. ત્યાં હાજર ઈનચાર્જ અધિકારીને પૂછવામાં આવ્યું કે પાણીની વ્યવસ્થા કેમ નથી તો જણાવાયું કે અમને જેટલું કહ્યું છે એટલું કર્યુ છે. આ સિવાય અમને કોઈ માહિતી કે જાણકારી નથી.