અમદાવાદને અનલોક 1 ફાવ્યું નથી કારણ કે અમદાવાદમાં છેલ્લા 20 દિવસમાં 6000 જેટલા કેસ નોંધાયા છે. અમદાવાદ કોરોનાનું એપીસેન્ટીર બન્યુ છે. ત્યારે છેલ્લા 20 દિવસના આંકડા ચોંકાવનારા છે. કોટ વિસ્તારના કન્ટેનમેન્ટ ઝોનમાં ગાઢ સંક્રમિત કોરોના હવે નદીની આ બાજુના વિસ્તારને પણ ઘમરોળી રહ્યો છે.
અનલોક-1માં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યુું
છેલ્લા 20 દિવસમાં અમદાવાદમાં 6078 કેસ નોંધાયા
31 મેના રોજ અમદાવાદમાં 12 હજાર 672 પોઝિટિવ કેસ હતા
અનલોક-1માં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યુું છે. છેલ્લા 20 દિવસમાં અમદાવાદમાં 5914 કેસ નોંધાયા છે. 31 મેના રોજ અમદાવાદમાં 12, 672 પોઝિટિવ કેસ હતા. હાલમાં અમદાવાદમાં કોરોનાના 17,586 કેસ છે. અમદાવાદમાં હાલમાં 3691 એક્ટિવ કેસ એક્ટિવ છે. AMCના 7 ઝોનમાં હાલમાં એક્ટિવ કેસ સામે આવ્યા છે.
છેલ્લા 20 દિવસમાં નોંધાયેલા કેસ
6/1/2020
314
6/2/2020
279
6/3/2020
290
6/4/2020
291
6/5/2020
324
6/6/2020
289
6/7/2020
318
6/8/2020
346
6/9/2020
331
6/10/2020
343
6/11/2020
330
6/12/2020
327
6/13/2020
344
6/14/2020
334
6/15/2020
327
6/16/2020
332
6/17/2020
330
6/18/2020
317
6/19/2020
312
Total
6078
ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ કેસ નોંધાઇ રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 540 કેસો નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 27 દર્દીઓનાં અવસાન થયા છે. અને 340 જેટલાં દર્દીઓ સ્વસ્થ થયા હતા. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 26 હજાર 198 પર પહોંચ્યો છે. તો મૃત્યુ આંક 1 હજાર 619 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 18 હજાર 167 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ
24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ 312, સુરત 93, વડોદરા 45, મહેસાણા 12, ગાંધીનગર 9, જામનગર 9, ભરૂચ 9, પાટણ 8, અરવલ્લી 7, રાજકોટ 4, કચ્છ, જુનાગઢ અને નર્મદામાં 4-4, વલસાડ 3, ભાવનગર, સાબરકાંઠા, ખેડા , દાહોદ અને સુરેન્દ્રનગરમાં 2-2, બનાસકાંઠા, મહીસાગર, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર અને નવસારીમાં 1-1 કેસ નોંધાયો હતો.રાજ્યમાં હાલ કોરોનાનાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6 હજાર 412 છે. જેમાંથી 67 દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે 6 હજાર 345 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 21, સુરતમાં 4, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે