આગામી તા.૧ સપ્ટેમ્બરથી દેશભરમાં અનલોક-૪ જાહેર થશે. અનલોક-૪માં સત્તાવાળાઓ દ્વારા લોકો માટે વધુ છૂટછાટ જાહેર કરાશે. આ સંજોગોમાં શહેરની લાઇફલાઇન ગણાતી એએમટીએસ અને બીઆરટીએસ સર્વિસને તંત્ર દ્વારા ૧ સપ્ટેમ્બરથી નદી પાર કરવાની પરવાનગી અપાય તેવી શક્યતા છે, જોકે તે વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવું પડશે.
કોરોનાની ગાઇડલાઇન સાથે દોડતી થશે AMTS
બાગ-બગીચા પણ લોકો માટે હમણાં બંધ જ રહેશે
ગત તા.૧ જૂનના અનલોક-૧થી એએમટીએસ-બીઆરટીએસને શહેરમાં દોડતી કરાઇ હતી, પરંતુ તે વખતે આ બંને બસ સર્વિસને નદી પાર કરવાની પરવાનગી અપાઇ ન હતી એટલે લગભગ છેલ્લા ત્રણ મહિનાથી એએમટીએસ-બીઆરટીએસ બસ સર્વિસ પશ્ચિમના વિસ્તારમાંથી પૂર્વમાં અને પૂર્વના વિસ્તારમાંથી પશ્ચિમમાં જવા માટે શહેરના એક પણ રિવરબ્રિજને ઓળંગતી નથી. તે વખતે
આ બંને બસ સર્વિસને પ૦ ટકા પેસેન્જરની ક્ષમતા સાથે શહેરમાં દોડતી કરવાની મંજૂરી અપાઇ હતી. બે બેઠકમાંથી એક બેઠક પર નહીં બેસવાનું િસ્ટકર લગાડવું, બસનો સ્ટાફ થૂંકતાં કે માસ્ક વગર જણાશે તો પેનલ્ટી કરવી, સ્ટાફની થર્મલ ગનથી ચકાસણી કરવી, બસને દરરોજ સેિનટાઇઝ કરવી તેવી શરતે દોડતી થયેલી AMTS અને BRTSને કોરોનાના ગ્રહણથી રૂ.પ૬ કરોડનું આર્થિક નુકસાન પણ થયું છે.
જોકે AMTSના સત્તાવાળાઓએ ૧ સપ્ટેમ્બરથી નદી પાર કરવાની અનુમતિ અપાય તે માટે મ્યુનિસિપલ સત્તાવાળાઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હોઇ AMTSને લીલી ઝંડી અપાય તેવી શક્યતા છે. જો AMTS બસને રિવરબ્રિજ ઓળંગવાની પરવાનગી અપાશે તો BRTS બસને પણ કોરોનાની ગાઇડલાઇનને અનુસરવાની શરત સાથે મંજૂરી મળે તેવી ચર્ચા છે.
કોરોનાની ગાઇડલાઇન સાથે દોડતી થશે AMTS
AMTS અને બીઆરટીએસની સાથે શહેરમાં મેટ્રો રેલવેને પણ દોડતી કરાય તેવી શક્યતા છે. મેટ્રો રેલવેને સત્તાવાળાઓએ ગત તા.રપ માર્ચના લોકડાઉન-૧થી બંધ કરી દીધી હતી. હવે મેટ્રો રેલવે પણ કોરોનાની ગાઇડલાઇન સાથે દોડતી થઇ શકે છે.
બાગ-બગીચા પણ લોકો માટે હમણાં બંધ જ રહેશે
જોકે રાજ્યભરના અબાલવૃદ્ધમાં લોકપ્રિય બનેલા કાંકરિયા લેકફ્રન્ટના તોતિંગ ગેટનાં તાળાં અનલોક-૪માં પણ નહીં ખોલાય તેવી ચર્ચા ઊઠી છે. કાંકરિયા લેકફ્રન્ટને જો સહેલાણીઓ માટે ખોલી દેવાય તો સોશિયલ ડિસ્ટન્સિંગની સમસ્યા ઊભી થઇ શકે તેમ હોઇ મ્યુનિ. તંત્ર હજુ દિવાળીના તહેવાર સુધી કાંકરિયા લેકફ્રન્ટ લોકો માટે ખુલ્લું મૂકે તેવી શક્યતા નહિવત્ છે, જોકે દિવાળીના સપરમા દિવસોમાં પણ શહેરમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી મ્યુનિ. તંત્ર નિર્ણય લેશે, જ્યારે બાગ-બગીચા પણ લોકો માટે હમણાં બંધ જ રહેશે.