અનલોક-3ને લઇ ગુજરાત સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે. જેમાં હવે રાતના 10 વાગ્યા સુધી હોટલ અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની મંજૂરી અપાઇ છે. સાથે જ ગુજરાતમાં 1 ઓગસ્ટથી રાત્રી કર્ફ્યૂમાંથી પણ મુક્તિ આપી દેવાઇ છે. ત્યારે હજુ પણ કેટલીક બાબતોમાં છુટછાટ આપવામાં નથી આવી. જાણો કઈ બાબતે હજુ લોકડાઉન યથાવત.
રાજ્ય સરકારે અનલોક-3નીગાઈડલાઈન કરી જાહેર
1 ઓગસ્ટથી રાત્રી કર્ફ્યૂ સંપૂર્ણ પણ મુક્તિની જાહેરાત
રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહી શકશે
ઉપરાંત ગુજરાતમાં હવે રાત્રીના 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. સાથે જ જીમ અને યોગા સેન્ટર પણ 5 ઓગસ્ટથી ખોલવામાં આવશે. અન્ય બાબતોમાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે.
અનલોક-3 મુદ્દે DyCM નીતિન પટેલે માહિતી આપતા કહ્યું કે ગુજરાત કેન્દ્રના માર્ગદર્શનને અનુસરે છે. નવી ગાઇડલાઇનમાં જૂની છૂટછાટો યથાવત રહેશે. સરકારે રાત્રી કર્ફ્યૂ હટાવી દીધો છે. ગુજરાતમાં 1 ઓગસ્ટથી કર્ફ્યૂ હટી જશે. નીતિન પટેલે હોટલે રેસ્ટોરન્ટને લઇ કહ્યું કે હવે રાત્રીના 10 વાગ્યા સુધી હોટલ અને રેસ્ટોરન્ટ ચાલુ રાખી શકાશે. અને જીમ અને યોગ સેન્ટરો પણ 5 ઓગસ્ટથી ખોલી શકશે.