ગુજરાતમાં કોરોનાના સંકટ વચ્ચે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં 69 પોઝિટિવ કેસમાંથી 3 જણા સાવ સાજા થઈ ગયા છે. ગઈકાલે એક યુવતીએ કોરોનાને હરાવ્યો હતો ત્યારે આજે વધુ બે પુરૂષ દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં 6 લોકોના મોત થઈ ચૂક્યા છે. પણ સામે લોકો સાજા પણ થઈ રહ્યા છે જે ખરેખર સારી વાત છે. ગઈકાલે પણ એક મહિલા દર્દી સાજી થઈ ગઈ હતી.
અમદાવાદમાં કોરોના સંક્રમિત 2 દર્દીઓ થયા રિકવર
SVP હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ થયા રિકવર
62 અને 65 વર્ષીય બે પરૂષ થયા રિકવર
10 દિવસની સારવાર બાદ બન્નેને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા
રાજ્યમાં કોરોનાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની દહેશત વચ્ચે અમદાવાદમાં બે દર્દીઓ રિકવર થયા છે.
અમદાવાદની SVP હોસ્પિટલમાં 10 દિવસથી સારવાર લઈ રહેલા બે દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થયા છે. 62 અને 62 વર્ષીય બે પુરૂષ રિકવર થઈને ઘરે ગયા છે.
10 દિવસ પહેલા બન્ને દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.જેના કારણે તેમને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 દિવસની સારવાર બાદ તેઓ ઠીક થઈને હોસ્પિટલમાં ઘરે ગયા છે.
ગુજરાતમાં પોઝિટિવ કેસ 69 હતા જેમાંથી 6ના મોત થયા છે હાલ 63 લોકોની સારવાર ચાલી રહી છે જેમાંથી 2 લોકો સાજા થઈ ગયા છે.