ગુજરાતમાં કોરોનાનો કેસ જે રીતે વધી રહ્યા છે એ રીતે મે મહિનો ગુજરાત માટે કસોટીનો મહિનો પુરવાર થશે. અમદાવાદ મ્યુ. કમિશનરે ચેતવણી આપી છે કે જે રીતે કોરોના વાયરસના આંકડા ડબલ થઈ રહ્યા છે તે જ રીતે આગળ વધશે તો એમદાવાદમાં 31મી મે સુધી 8 લાખ કેસ નોંધાઈ શકે છે ત્યારે સુરત મનપા કમિશનરે પણ ચેતવણીના સૂરમાં કહ્યુ હતુ કે, સુરતનો ડબલીંગ રેશિયો જોતા સુરતમાં પણ 31મી મે સુધી 1.64 લાખ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ શકે છે.
અમદાવાદ બાદ હવે સુરત મનપા કમિશનરે ચેતવણી આપી છે. કોરોના ડબલિંગ રેટને લઇ મ્યુનિસિપલ કમિશનરે ચેતવણી આપી છે.
ડબલિંગ રેટ મુજબ સુરતમાં 31 મે સુધીમાં 1.64 લાખ કેસ થઇ શકે છે
મનપા કમિશનર બંછાનિધી પાનીએ ચિંતા વ્યક્ત કરી છે. બંછાનિધી પાનીએ કહ્યું કે હોટસ્પોટ માન દરવાજા ડબલિંગ રેટને લઇ અંદાજ લગાવવામાં આવ્યો છે. ડબલિંગ રેટ મુજબ સુરતમાં 31 મે સુધીમાં 1.64 લાખ કેસ થઇ શકે છે. સોશિયલ ડિસ્ટન્સ-લોકડાઉનનું પાલન જ રેશિયો ઘટાડશે.
શું કહે છે અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરા
ટોટલ કેસ કેટલા દિવસમાં બમણા થાય છે તેના આધારે કેસનું પ્રમાણ રહેશે તે નક્કી થઈ શકે. 17 એપ્રિલ 600 કેસ હતા, 20 એપ્રિલે બમણા થયા. દર ત્રીજા દિવસે કેસ ડબલ થતા હતા. હાલ અમદાવાદમાં 4 દિવસમાં કેસ ડબલ થાય છે. આ સ્થિતિ રહે તો 31 દિવસમાં 8 લાખ કેસ થાય.
15 મે સુધી જે 50 હજાર કેસ થવાના હોય તે 10 હજાર જ થશે
લોકડાઉન પૂર્ણ થાય તે પૂર્વે કેસ ડબલિંગમાં ઘટાડો કરવાનો છે. આ રેશિયો 7 કે 8 દિવસ સુધી લઈ જવાનો છે. કેસ ડબલિંગ રેશિયો ઘટાડવાથી જ આંક ઘટાડી શકાશે. જો તેમાં સફળતા મળશે તો 15 મે સુધી જે 50 હજાર કેસ થવાના હોય તે 10 હજાર જ થશે. 10 દિવસનો કેસ ડબલિંગ રેટ અચિવ કરીશું તો 7 હજાર કેસ થશે. 7થી 8 દિવસનો કેસ ડબલિંગ રેટ અચિવ કરવાનો ટાર્ગેટ છે. 31 મેના અંત સુધી આ સ્ટ્રેટેજીથી 20 હજાર કેસ થઈ શકે છે. 3 મે સુધીમાં 7થી 8 દિવસનું કેસ ડબલિંગ રેટ અચિવ કરવાની આશા છે.