કુંભ મેળામાંથી આવેલા સુરતીઓ કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યુ છે
કુંભ મેળામાંથી આવેલા સુરતીઓ કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યુ છે. હરિદ્વારથી પરત આવનાર 300થી વધુ લોકોના ટેસ્ટિંગ કરાયા હતા જેમાંથી હરિદ્વારથી આવેલા 13 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. ફરજિયાત ક્વોરન્ટાઈન રહેવા મહાનગર પાલિકાએ આદેશ આપ્યા છે.
શું કહ્યુ નરેન્દ્ર મોદીએ ?
આચાર્ય મહામંડલેશ્વર પૂડ્ય સ્વામી અવધેશાનંદ ગિરી જી સાથે આજે ફોન પર વાત કરી. તમામ સંતોનું સ્વાસ્થ્ય જાણ્યું. તમામ સંતો તંત્રને દરેક પ્રકારનો સહયોગ કરી રહ્યા છએ. મેં સંતનોનો આભાર પણ માન્યો છે. મેં પ્રાર્થના કરી છે કે બે શાહી સ્નાન થઇ ચૂક્યા છે ત્યારે કુંભને કોરોના સંકટના કારણે પ્રતિકાત્મક રાખવો જોઇએ. જેનાથી સંકટ સામે લડાઇ લડવામાં વધઉ એક તાકાત મળે.
હરિદ્વારના કુંભમેળામાં વધ્યું કોરોનાનું સંક્રમણ
100થી વધુ શ્રદ્ધાળુ કોરોનાગ્રસ્ત થયા છે. અને 18 સંતો પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ છે. શાહી સ્નાન દરમિયાન ખુલ્લેઆમ કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હતોય. અખિલ ભારતીય અખાડા પરિષદના વડા સહિત 18 સંતો કોરોનાગ્રસ્ત થયા છે. અખાડા પરિષદના વડાની તબિયત લથડતા હરિદ્વાર AIIMSમાં દાખલ કરાયા છે.
2500થી વધુ લોકો કોરોના સંક્રમિત આવ્યા
હરિદ્વારા કુંભ મેળામાં અત્યાર સુધી 2500થી વધુ લોકો કોરોના સંક્રમિત આવ્યા છે. હરિદ્વારામાં કુંભ મેળો 11 વર્ષ બાદ યોજાયો છે. કુંભ મેળામા અનેક સાધુ-સંતો કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના કેસ વધતા નિરંજની અખાડાએ કુંભ મેળાની સમાપ્તિની જાહેરાત કરી છે. આનંદ અખાડાએ પણ કુંભ મેળાની સમાપ્તિની જાહેરાત કરી છે. ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહ રાવત હાઇલેવલ મીટિંગ યોજશે.
ઉત્તરાખંડમાં મહાકુંભનું પહેલું શાહી સ્નાન કરાયું. મહાકુંભના પહેલા શાહી સ્નાનમાં 13 અખાડાએ ગંગા નદીમાં સ્નાન કર્યું. 7 સન્યાસી અખાડા, 3 વૈરાગી અખાડા, 3 વૈષ્ણવ અખાડાએ ગંગા નદીમાં સ્નાન કર્યું. સૌથી પહેલા નિરંજની અખાડાએ હર કી પૈડી પર પહોંચી હર કી પૈડી બ્રહ્મકુંડ પર શાહી સ્નાન કર્યું.
ઉત્તરાખંડ હાઈકોર્ટે મુખ્યમંત્રી તીરથસિંહ રાવતને કરી હતી ટકોર
કોરોના વાયરસના વધતા કેસની અસર ઉત્તરાખંડના કુંભમેળામાં દેખાઈ છે. હાઈકોર્ટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતને ટકોર કરતા કહ્યું કે, કુંભના મેળામાં કોરોનાની ગાઈડલાઈનનું અમલ કરાયું નથી. હવે કુંભમાં આવનારા તમામ લોકોએ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાવો પડશે અને જેનો ટેસ્ટ નેગેટીવ આવશે તેને જ એન્ટ્રી આપવામાં આવશે. ટેસ્ટ 75 કલાક જૂનો હશે તો જ માન્ય રાખવામાં આવશે.
હવે હરિદ્વાર મહાકુંભ મેળામાં જતા તીર્થયાત્રિઓ માટે કોરોનાનો ટેસ્ટ જરૂરી નથી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે આ જાહેરાત કરી છે. તિરથસિંહ રાવતે જણાવ્યું કે કુંભ મેળો 12 વર્ષમાં એકવાર આવે છે. અમે નથી ઈચ્છતા કે લોકો કુંભ મેળામાં જવાની તક ગુમાવે.. રાવતે જણાવ્યું કે કુંભ મેળામાં આવતા લાખો લોકોનો RT PCR ટેસ્ટ કરવો અશક્ય છે.. જેથી હવે કુંભ મેળામાં જવા માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ જરૂરી નહીં