ગુજરાતમાં કોરોના તાંડવ કરી રહ્યો છે ત્યારે સરકારી હોસ્પિટલોની એક પછી એક ઘોર બેદરકારી સામે આવી રહી છે કેમ કોરોનાને ખુદ હોસ્પિટલ તંત્ર અને મનપા તંત્ર ગંભીરતાથી નથી લઈ રહ્યું. શું કોરોનાનો તેમને કોઈ ખોફ નથી. કોરોનાનું સંક્રમણ થવા માટે જવાબદાર મેડિકલ વેસ્ટ સુરત સિવિલના દરવાજા પાસે જ ખુલ્લેઆમ રખડી રહ્યો છે ત્યારે તંત્રને કેમ સ્વાસ્થ્ય કે સ્વચ્છતાની દરકાર નથી તે સૌથી મોટો પ્રશ્ન છે.
કોરોના દર્દીની સારવારમાં વપરાતા સાધનો ડસ્ટબીનમાં
PPE કીટ ઉપયોગમાં લીધા બાદ કચરાપેટીમાં નંખાઇ
માસ્ક અને હેન્ડગ્લોઝ પણ કચરાપેટીમાં જોવા મળ્યા
સુરતની નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોના દર્દીની સારવારમાં વપરાતા સાધનો કચરાપેટીમાં જોવા મળ્યા છે.
PPE કીટ ઉપયોગમાં લીધા બાદ કચરાપેટીમાં નંખાઇ
PPE કીટ ઉપયોગમાં લીધા બાદ કચરાપેટીમાં નખવામાં આવી છે. તો માસ્ક અને હેન્ડગ્લોઝ પણ કચરાપેટીમાં જોવા મળ્યા છે.
કચરાપેટીમાં નાખેલા વેસ્ટથી કોરોના વાયરસનો ચેપ વધુ ફેલાય તેવી પરિસ્થિતિ
હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે જ કચરાપેટી છે. આ કચરાપેટીમાં નાખેલા વેસ્ટથી કોરોના વાયરસનો ચેપ વધુ ફેલાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.
ઉઠી રહ્યા છે પ્રશ્નો
કેમ સરકારી દવાખાના દરકાર નથી રાખતા?
આમ ખુલ્લેઆમ રખડી રહેલો મેડિકલ વેસ્ટ કેટલો ઘાતક?
PPE કિટ સહિતનો મેડિકલ વેસ્ટ પ્રવેશ દરવાજા પાસેજ કેમ?
જેમને કોરોના નથી તેમને પણ હોસ્પિટલ કોરોના ભેટમાં આપી રહી છે?