મનમેં હો અગર હૌસલા તો હર ગમ કી દવા હૈ.. સુરતમાં ત્રણ દર્દીઓ સામાન્ય ફ્લુની દવાથી સાજા થઈને ઘરત પરત ફર્યા છે. આ દર્દીઓને સામાન્ય તાવ શરદીમાં આપવામાં આવતી દવાઓ અપાઈ અને તે આ કોરોનાના સંક્રમણ સામે લડીને ઉગરી આવ્યા છે. સુરતના ત્રણ દર્દીઓની સામાન્ય ટ્રીટમેન્ટ બાદ આ તમામ લોકો સાજા થઈ ગયા છે.
રોગપ્રતિકાર શક્તિ અને મનોબળ કોરોના સામે લડવામાં મહત્વના
કઈ કઈ દવા આપવામાં આવી હતી?
ત્રણેય દર્દીઓના રિપોર્ટ સારવાર બાદ નેગેટિવ આવ્યા હતા
કયા કયા દર્દી સાજા થયા?
સુરતની પહેલી કોરોના પોઝિટિવ પાર્લેપોઈન્ટ રહેતી 21 વર્ષીય રીટા બચકાનીવાલા હતી અને ત્યાર બાદ ઘોડદોડ રોડના કરીમાબાદના 23 વર્ષીય ફૈઝલ કરીમ ચુનાર અને કૈલાશ નગરના 45 વર્ષીય કુમારપાળ શાહુ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા જે તમામ હવે રજા લઈ ઘરે જઈ ચુક્યા છે. તમામને 14 દિવસની સારવાર બાદ ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું હતું.
રોગપ્રતિકાર શક્તિ અને મનોબળ કોરોના સામે લડવામાં મહત્વના
શરદી-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને પગલે દર્દીઓને સિવિલમાં દાખલ કરાયા હતા. દર્દીઓને પહેલેથી કોઈ બીમારી નહતી. તેમની રોગપ્રતિકારક શક્તિ પણ સારી હતી એટલે જ તેમને ડોક્ટરોએ વેન્ટિલેટર ન આપી માત્ર આઇસોલેશન વોર્ડમાં જ દાખલ કર્યા હતા. દર્દીઓના બ્લડસેમ્પલ લેબોરેટરી મોકલીને ડોક્ટરોએ ઈલાજ શરુ કરી દીધો હતો. કોરોના વાયરલ ઈન્ફેક્શન જ છે એટલે ડોક્ટરોએ એ મુજબ જ સારવાર કરી દીધી હતી.
કઈ કઈ દવા આપવામાં આવી હતી?
દર્દીને સવાર સાંજ બે બે સામાન્ય શરદી ખાંસીની દવા અપાતી.
દર્દીને તાવ આવે તો સામાન્ય તાવની દવા અપાતી હતી
ડીહાઇડ્રેશન ન થાય એ માટે બાટલા પણ ચડાવવામાં આવતા હતા
લંગ્સમાં ઇન્ફેક્શન ન થાય એ માટે એન્ટિબાયોટિક આપવામાં આવતી હતી
ત્રણેય દર્દીઓના રિપોર્ટ સારવાર બાદ નેગેટિવ આવ્યા હતા
10 દિવસ સુધી આ જ પ્રકારની દવા અને ટ્રીટમેન્ટ દર્દીને આપવામાં આવી હતી અને દર્દીઓ ઠીક થવા લાગ્યા હતા. સ્ટેબલ થયાના 24 કલાક દરમિયાન જ કોવીડ-19ના બે ટેસ્ટ કરવામાં આવ્યા જે બંને નેગેટિવ આવતા દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા.
શું કહે છે તબીબ?
જો કે તબીબોનું કહેવું છે કે આ એક પ્રયોગ જ હતો. આ કોઈ ચોક્કસ ઈલાજ નથી. પણ આ દર્દીઓની ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ હોવાને કારણે તેમને આ દવાઓ પણ કોરોના સામે લડવામાં મદદરૂપ બની હતી.