સુરતમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. જેને પગલે શનિ-રવિ મોલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરતમાં વકરતો જતો કોરોના
શનિ-રવિ મોલ બંધ રાખવા આદેશ
કોરોનાનું સંક્રમણ વધતા કરાયો નિર્ણય
સુરતમાં ફરી કોરોના વધતા મોલ બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. શનિ-રવિના દિવસે મોલ બંધ રાખવામાં આવશે. આ અંગે પાલિકા દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. ડુમસ રોડ પર આવેલ રાહુલ રાજ મોલ બંધ રહેશે. હાલ સુરતમાં પ્રતિદિવસ 100 થી વધુ કેસ નોંધાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કેસ વધતા મનપા કામે લાગ્યું છે.
મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ લોકોને અપીલ કરી
I appeal all to wear properly fitted masks as the cases are rising amidst the new virus strains.
સુરતમાં નવા કોરોના સ્ટ્રેને ચિંતા વધારી છે. મનપા દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. નવા કોરોનાના સ્ટ્રેન બાદ મનપા અલર્ટ પર છે. સુરત મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ લોકોને અપીલ કરી છે કે, યોગ્ય રીતે માસ્ક પહેરો. કોરોના હજુ ગયો નથી.
સુરતમાં કોરોના સંક્રમણ વધતા SMC દોડતું થયું
સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે પોતાની ટીમ વધારી છે અને એક્ટીવ સર્વેલન્સમાં 5.26 લાખ લોકોને આવરી લેવાયા છે. આરોગ્ય વિભાગે સર્વેની કામગીરીમાં વધારો છે કર્યો . એક્ટિવ સર્વેલન્સ માટે 1210 ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. આ એક્ટીવ સર્વેલન્સમાં 5.26 લાખ લોકોનો આવરી લેવામાં આવ્યા છે.