ગુજરાત સરકાર બધુ સંભાળી રહી છે અને તમામ પરિસ્થિતિઓ પર સરકારની નજર છે. જમવાનો તમામ પુરવઠો આપણી પાસે છે. બસ પ્રજાએ ખાલી ઘરમાં રહેવાની જરૂર છે. અશ્વિનીકુમાર,સચિવ CMO દ્વારા આ અંગેની પત્રકાર પરિષદ યોજાઈ હતી. વળી અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો અને મળેલું દાન અને દૂધ શાક, ફળના જથ્થા વિશે પણ વાત કરી.
રાજ્ય સરકારે 250 જેટલી બસની વ્યવસ્થા કરી
લોકો દીલ ખોલીને આપી રહ્યા છે દાન
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની પત્રકાર પરિષદ
જાહેર કરાયા બીજા રાજ્યોમાં ફસાયેલા માટે નંબર
"બીજા રાજ્યમાં ફસાયેલા લોકો 1070 નંબર પર મદદ માંગી શકે છે"
"સ્ટેટ કંટ્રોલનો સંપર્ક કરીને લોકો મદદ માંગી શકે છે"
"અન્ય રાજ્યના શ્રમિકને મુશ્કેલી હોય તો મદદ માંગી શકશે"
શ્રમિકો પગપાળા ઘરે જવા નીકળી પડ્યા હતા
"રાજ્ય સરકારે 250 જેટલી બસની વ્યવસ્થા કરી""શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં આવ્યા છે"
સસ્તા અનાજની દુકાન પર ફિંગરપ્રિન્ટ નહીં આપવા પડે
એપ્રિલમાં ગ્રાહકોને ફિંગરપ્રિન્ટ નહીં આપવા પડેઃ અશ્વિનીકુમાર
લોકો દીલ ખોલીને આપી રહ્યા છે દાન
"3500થી વધુ લોકોએ રાહત નિધિ ફંડમાં રકમ જમા કરાવી"
કેશુભાઈ પટેલે 1 લાખનું દાન કર્યું છેઃ અશ્વિનીકુમાર
"સોમનાથ મંદિર ટ્રસ્ટે 1 કરોડનું દાન આપ્યું છે"
"સરદારધામ દ્વારા 21 લાખનું ફંડ આપવામાં આવ્યું છે"
"ખોડલધામ દ્વારા 21 લાખનું દાન આપવામાં આવ્યું છે
રાજ્યમાં દૂધ, શાક, ફળ ભરપૂર છે
8533 કિવન્ટલ શાકભાજી માર્કેટમાં આવ્યુ છે એટલે શાક ખુટે તેમ નથી.
51, 30 લીટિર દૂધ
ફળ 4832 કિવન્ટલ ફળની આવક થઈ છે.