રાજ્યમાં કોરોના અંગે થયેલી સુઓમુટોની HCમાં ઓનલાઇન સુનાવણી શરૂ થઈ ગઈ છે.
રાજ્યમાં કોરોના અંગે થયેલી સુઓમુટો
HCમાં ઓનલાઇન સુનાવણી શરૂ થઈ
તમામ વકીલો અરજીને લઇ ઓનલાઇન હાજર
રાજ્યમાં કોરોના અંગે થયેલી સુઓમુટોની HCમાં ઓનલાઇન સુનાવણી શરૂ થઈ ગઈ છે. તમામ વકીલો અરજીને લઇ ઓનલાઇન હાજર છે. સરકારી વકીલ મનીષાબેન શાહે દલીલ કરી છે કે, RTPCR ટેસ્ટિંગ પર હાઈકોર્ટના આદેશ પ્રમાણે કામ થયું છે. 82 પેજના એફિડેવિટમાં સરકારે તમામ વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો છે. પૂરતી વ્યવસ્થા કોરોનાને પહોંચી વળવા રખાઈ છે. સરકારે સ્વિકાર્યુ કે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે.
સરકારે કરી કબૂલાત
હાઇકોર્ટે કરેલા સુઓમોટોમાં રાજ્ય સરકારે કરેલી કબૂલાત મુજબ અમરેલી, ખેડા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, પાટણ અને વલસાડ જિલ્લાની કોવિડ હોસ્પિટલોના તમામ એટલે કે, 100% બેડ દર્દીઓથી ભરાઇ ગયા છે. જ્યારે બોટાદ, જામનગર અને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી કોવિડ હોસ્પિટલોમાં અનુક્રમે 95, 99 અને 97% બેડ પર દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આમ પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. રાજ્યના આ તમામ જિલ્લા, મનપા વિસ્તારમાં આવેલી 76 સરકારી કોવિડ હોસ્પિટલોમાં 18687 અને 832 ખાનગી હોસ્પિટલોમાં 32008 મળી કુલ 50695 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. જે પણ હવે ટૂંકી પડી રહી હોવાનું ઉપલબ્ધ આંકડા પરથી જણાય છે.
રેમડેસિવર મામલે સરકારે શું કહ્યુ
રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ મૂકેલી વિગતો મુજબ કોરોનાના દર્દીઓ માટે છેલ્લા 6 દિવસમાં રેમડેસિવિરના કુલ 2,05,431 ઈન્જેકશનો ઉપલબ્ધ કરાવ્યા છે. તા 13 એપ્રિલે 36772, 14 એપ્રિલે 83080, 15 એપ્રિલે 3060, 16 એપ્રિલે 7431, 17 એપ્રિલે 24016 અને 18 એપ્રિલે 51072 મળી કુલ 2,05,431 રેમડેસિવિર ઈન્જેકશનોનો સ્ટોક ઉપલબ્ધ કરાવ્યો છે.કેન્દ્ર દ્રારા રેમડેસિવિર પર મુકાયેલા પ્રતિબંધ છતાં રાજયે 55 હજાર રેમડેસિવિર નો વધારાનો સ્ટોક મેળવ્યો હતો. જેને સરખા હિસ્સે હોસ્પિટલોને ફાળવાયો છે. 18 એપ્રિલે રાજય સરકાર પાસે ગણતરીના ઈન્જેકશનોનો સ્ટોક ઉપલબ્ધ છે બાકીનો વહેચણી કરી દેવામાં આવ્યો છે. સરકારે તા 1 એપ્રિલ થી 18 એપ્રિલ 2021 સુધીના સમયગાળામાં રેમડેસિવિર ના 100 એમ.એલ.ના 5.74 લાખ ઈન્જેકશનોનો ઓર્ડર પહેલાથી જ આપી દીધો હતો.