ગુજરાતમાં કોરોના વાયરસનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો હોવાની ચર્ચા છે ત્યારે હવે શાળાઓમાં બાળકોની સંખ્યા ઓછી થઈ ગઈ છે.
સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી
કોરોનાના કેસ વધતા સંખ્યામાં ઘટાડો
30થી 35% વિદ્યાર્થીઓ જ આવે છે સ્કૂલમાં
રાજ્યમાં વધતા કોરોનાના કેસો વચ્ચે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ઘટ્યા છે. કોરોના વધતા સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો છે. અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે.
અમદાવાદમાં 30થી 35% વિદ્યાર્થીઓ જ સ્કૂલમાં આવે છે
શરૂઆતના દિવસોમાં 50થી 55% એ પહોંચેલી સંખ્યા હવે ઘટી ગઈ છે. હાલ અમદાવાદમાં 30થી 35% વિદ્યાર્થીઓ જ સ્કૂલમાં આવે છે. VTVએ કોરોના વચ્ચે સ્કૂલોની સ્થિતિ-વ્યવસ્થાની સમીક્ષા કરી છે.
દિવ્યાપથ સ્કૂલના 500માંથી 120 વિદ્યાર્થીઓ જ હાજર
ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલમાં ધો-9થી 12ના વર્ગ શરૂ થયા છે. વિદ્યાનગર સ્કૂલમાં ધો-9થી 12ના 491માંથી 138 વિદ્યાર્થીઓ હાજર હતા. સ્કૂલો દ્વારા પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રાખવાનો હેતુ છે. દિવ્યાપથ સ્કૂલના 500માંથી 120 વિદ્યાર્થીઓ જ હાજર હતા. તુલિપ સ્કૂલમાં 32% વિદ્યાર્થીઓની જ હાજરી છે. મોટા ભાગની સ્કૂલોએ ઓનલાઈન ક્લાસ પણ ચાલુ રાખ્યા છે.