કોરોના મહામારીમાં સરકારે સભા ન યોજવા આદેશ આપ્યા છે. પરંતુ તેમ છતાં નેતાઓ સભા યોજી રહ્યાં છે. અને લોકો પણ લગ્નનો વરઘોડા કાઢી રહ્યાં છે. વેરાવળમાં વરઘોડાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેના કારણે સામાજિક અંતર તો ન જળવાયું. પરંતુ લોકો માસ્ક વિના પણ જોવા મળ્યા હતા. જેની સામે પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.
કોરોના મહામારીમાં સરકારે સભા ન યોજવા આપ્યા છે આદેશ
વેરાવળમાં લગ્નમાં વરઘોડો કાઢવો ભારે પડ્યો હતો હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે લોકો ભેગા થાય એ એકદમ અયોગ્ય છે. લગ્નના વરઘોડાનો વીડિયો વાયરલ થયો હતો. વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સામાજિક અંતર પણ ન જળવાયું એટલું જ નહીં પરંતુ લોકો માસ્ક વિનાના દેખાયા હતા. પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો હતો. ભાલકા કામનાથ સોસાયટીના બાબુ વધાવી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ વરઘોડો વેરાવળમાં રીંગરોડ ખાતે 12મી જુલાઈના રોજ નીકળ્યો હતો.
જ્યારે બીજી તરફ નેતાઓ સભાઓ યોજી રહ્યાં છે અને તેમની સામે કોઇપણ કાર્યવાહી થતી નથી. મોરબી અને નવસારીમાં કોંગી કાર્યકરોને આવકારવા ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સામાજિક અંતરનો અભાવ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના મોટા નેતાઓ પણ સામેલ હતા.
જ્યારે બોટાદમાં પણ કોળી સમાજની બેઠકમાં સરકારના નિયમના ધજાગરા ઉડ્યા છે. અને આ બેઠકમાં મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યાં હતા. ચૂંટણીની આડમાં મંત્રીઓ, આગેવાનો કોરોનાની મહામારી ભૂલ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય કે શું મંત્રીઓને નિયમો તોડવાનો અધિકાર છે? નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે. મંત્રીઓ, નેતાઓને નિયમો લાગુ પડતા નથી. સામાન્ય જનતા સામે કાર્યવાહી થાય છે. તો પછી ભાજપના નેતાઓ સામે કાર્યવાહી ક્યારે થશે.