ગુજરાતમાં કોરોના વધતા શિક્ષણ સંસ્થાઓ આગળ આવીને પોતાને ત્યાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવા માટે આગળ આવી રહી છે જે ખરેખર સારા સમાચાર છે.
ગુજરાતમાં ગ્રામ્ય શાળા કોલેજોની અનોખી પહેલ
બારડોલી માલિબા કોલેજ ખાતે શરૂ કરાયું કોવિડ સેન્ટર
હોસ્પિટલોમાં બેડની અછત વચ્ચે બનાસકાંઠાની સ્કૂલની પહેલ
સુરત જીલ્લા માં વકરતા જતા કોરોના કહેર ને લઈ ને સુરત ના બારડોલી ખાતે આવેલા માલિબા કોલેજ કેમ્પસ માં કોવિડ કેર સેન્ટર ચાલુ કરાયું ,154 બેડ ની સુવિધા જેમાં 77 બેડ ઓક્સિજન ની સુવિધા સાથે શરૂ કરી કરાયું છે કોવિડ સેન્ટર. વહીવટી તંત્ર દ્વારા કોરોના દર્દીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યુ.
154 જેટલા બેડ ની સુવિધા ઉભી કરવામાં આવી
સુરત શહેર અને ગ્રામ્ય માં કે રીતે કોરોના ના કેસ વધી રહ્યા છે તેને લઈ પ્રશાશન હરકત માં આવ્યું છે , ગત 7 દિવસ માં કોરોના ના 1900 જેટલા કેસ નોંધાઇ ચુક્યા છે , શહેર અને ગ્રામ્ય ની લગભગ તમામ હોસ્પિટલો કોરોના ના દર્દીઓ થી ઉભરાઈ રહી છે ત્યારે હવે દર્દીઓ ની સુવિધા માટે ઠેર ઠેર કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યા છે ત્યારે બારડોલી નજીક આવેલા માલિબા કોલેજ કેમ્પસ ખાતે શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટર માં 154 જેટલા બેડ ની સુવિધા ઉભી કરવામાં આવી છે જે પેકી ના 77 બેડ પર ઓક્સિજન ની પણ સુવિધા કરવામાં આવી છે ,બારડોલી તેમજ આસપાસ ના ગામ માં દર્દીઓ ને આ કોવિડ કેર સેન્ટર થી સીધો લાભ થશે ,કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની લઈ જિલ્લા વિકાસ અધિકારી ,બારડોલી પ્રાંત તેમજ વિસ્તાર માં સંસદ અને મહુવા ધારાસભ્ય પર હાજર રહ્યા હતા
પાલનપુરમાં શ્રી બી.કે.ગઢવી શૈક્ષણિક સંકુલ ક્રિષ્ના મોહન છાત્રાલય નવી આર.ટી.ઓ. ઓફીસ પાસે પાલનપુર દ્વારા આ અંગે કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે. અહીં 12 રૂમ છે. અહીં શૌચાલય છે સ્નાનગૃહ, રસોડા, અને પાર્કિંગની સુવિધા છે.
શું કહે છે શાળા સંચાલકો?
કોવિડ 19 માહામારી સામે આખો દેશ ઝઝુમી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લો પણ બાકાત નથી દિન પ્રતિદિન વધતા કેસ અને તેની સામે આરોગ્યલક્ષી સંસ્થાઓ ઓછી પડતી હોવાનું દેખાઈ રહ્યું છે. ત્યારે આ સંજોગોમાં અમારા સમાજના પ્રેરણામૂર્તી શ્રી બી.કે.ગઢવી સાહેબ અને આદરણીય મુકેશભાઈ ના આદર્શોના હિતાર્થે અમે અમારી નવનિર્મિત બી.કે.ગઢવી શૈક્ષણિક સંકુલ ને કાવિડ 19 કેર સેન્ટર સારૂ સોંપવા તૈયારી દર્શાવિએ છીએ. શાળાના વહિવટકર્તાો દ્વારા આ પત્ર લખી કોવિડ કેર સેન્ટર બનાવવા તૈયારી દર્શવવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,920 કેસ નોંધાયા છે તો 94 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે. અને 3,387 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,9781 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 94 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 94 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5170 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 283 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 49,737 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2842 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 56 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1522 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 398 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 429 કેસ, જ્યારે ગ્રામ્યમાં 171 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 707 કેસ અને ગ્રામ્યમાં 52 કેસ નોંધાયા છે.
ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...