એક તરફ ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેક્શનનની અછત સર્જાઈ રહી છે.. લોકો ઈન્જેક્શન માટે ફાંફા મારી રહ્યા છે. તેવામાં ગુજરાત અન્ય રાજ્યને ઈન્જેક્શનની લહાણી કરી રહ્યું છે.
ગુજરાતમાં રેમડેસિવિરની અછત
અન્ય રાજ્યને ઈન્જેક્શનની લહાણી!
બિહારે મંગાવ્યા 14 હજાર ઈન્જેક્શન
બિહારના મુખ્યમંત્રી નીતિન કુમારે એક ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેમને ગુજરાતથી 14 હજાર રેમડેસિવિર ઈન્જેક્શન મંગાવ્યા છે. અને આ ઈન્જેક્શન લેવા માટે બિહારની સરકાર ખાલ પ્લેન પણ મોકલશે.
माo मुख्यमंत्री ने विशेष विमान भेजकर अहमदाबाद से 14000 रेमडेसिविर दवा शीघ्र लाने का आदेश दिया है।@NitishKumar
પણ ગુજરાતમાં લોકો ઈન્જેક્શન માટે તરફડીયા મારી રહ્યા છે તેવા સમયે અન્ય રાજ્યને ઈન્જેક્શન આપતા સરકારની નીતિ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,296 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 157 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 6,727 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,74,699 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 157 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 157 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6328 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 384 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 598 નવા કેસ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં 1,12,95,536 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,12,95,536 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે. આ સાથે જ ગત 24 કલાકમાં 1,24,539 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5790 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 74 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1690 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 413 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 573 કેસ, જ્યારે ગ્રામ્યમાં 189 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 608 કેસ અને ગ્રામ્યમાં 68 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...