ગુજરામાં કોરના સંકટમાં પણ સરકારી સંસ્થાઓ દ્વારા કૌભાંડનો સિલસિલો નથી અટકતો. ગરીબોને આપવામાં આવતા સસ્તા અનાજમાં પણ કટકી કાંડ સામે આવ્યુ છે. આ અનાજ ઓછુ આપીને તેમાં કોભાંડ આચરવામાં આવ્યુ છે આ અંગેના વીડિયો વાયરલ થયા છે.
ગરીબોને નથી અપતા પુરુ અનાજ, ગરીબો સાથે કેમ કરાય છે છેતરપિંડી
છેતરપિંડી કરનારા લોકો સામે કાર્યવાહી ક્યારે?
જાહેરાત બાદ પણ કેમ અપાય છે ઓછુ અનાજ?
રાજકોટમાં કાળા બજારીની બે અલગ અલગ ઘટના સામે આવી છે. રાજકોટના બજરંગવાડીમાં સસ્તા અનાજના દુકાનદારનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. દુકાનદારે 1 હજારથી વધુ ધારકોનો માલને બારોબાર વેચી માર્યો છે.
રાજકોટમાં ગરીબોને ઓછુ અનાજ અપાતું હોવાની પણ સામે આવી ઘટના
બીજી એક ઘટમામાં ગરીબોને સસ્તા અનાજના દુકાનદાર ઓછું અનાજ આપી રહ્યો હોવાનો વીડિયોમાં ખુલાસો થયો છે. દુકાનદાર દ્વારા રેશનકાર્ડ ધારકોને ઓછુ અનાજ અપાય છે. માલિયાસણની અનાજની દુકાનનો વીડિયો સામે આવ્યો છે.
અનાજ કૌભાંડ પર શું બોલ્યા કલેક્ટર?
વેપારીનું લાયસન્સ રદ કરવું એ પ્રથમ પગલું છે. 90 દિવસ માટે લાયસન્સ રદ્દ કરવામા આવ્યું છે. જે તે વિભાગને સાથે રાખીને તપાસ કરવામાં આવશે. કૌભાંડ મામલે હજુ તપાસ ચાલુ છે. અનાજ વિતરણ કર્યા વિના એન્ટ્રી કરવામાં આવતી હતી. તપાસ બાદ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરીશું.
સળગતા સવાલ
સસ્તા અનાજના દુકાનદારો લોકો સાથે કેમ કરે છે છેતરપિંડી?
ગરીબ લોકોને પોતાનું અનાજ કેમ વિતરણ કરાતુ નથી?
કટકી કરતા રાજ્યમાં કેટલા દુકાનદારો છે?
કટકી કરતા દુકાનદારો સામે તવાઈ કેમ બોલાતી નથી?
ગરીબ લોકોનું અનાજ ખાનારા સામે કેમ કાર્યવાહી નહી?
આ દુકાનદારે અત્યાર સુધી કેટલા લોકોનું અનાજ હજમ કર્યુ?