આજે જ્યારે વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યુ છે ત્યારે કેટલાક લોકો એ મહામારીમાં આપણને ઉગારી શકનાર એક માત્ર મેડિકલ સ્ટાફ સાથે અણછાજતુ વર્તન કરી રહ્યા છે. ત્યારકે VTVGujarati.com તમને અપીલ કરી રહ્યુ છે કે, મહેરબાની કરીને મેડિકલ કે પેરા મેડિકલ સ્ટાફને પરેશાન ન કરો. તે લોકો આપાણી સેવામાં ઘરની બહાર નીકળે છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વિશે વાત કરી છે એ ન ભુલવી જોઈએ. રાજકોટમાં કેટલાક લોકોએ પોતાની સોસાયટીમાં રહેતા તબીબો માટે સોસાયટીના દરવાજા બંધ કરી દીધા હતા જેને પરિણામે રાજકોટના તબીબે એક વીડિયો બનાવી લોકોને અપીલ કરી છે.
મેડિકલ, પેરામેડિકલ સ્ટાફને સમાજ શંકાની નજરે ન જુએ
મેડિકલ સ્ટાફ પરિવારની ચિંતા કર્યા વગર જ સમાજની સેવામાં છે
પાડોશીઓ ડોક્ટર્સને શંકાની નજરે ન જુએ
ગુજરાત સહિત સમગ્ર વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યુ છે. જ્યારે ભગવાનના દ્વાર પણ બંધ થઈ ગયા છે ત્યારે ડોક્ટર સ્વરૂપે ભગવાન આપણી મદદ કરી રહ્યા છે. પણ કેટલાક લોકો મેડિકલ અને પેરામેડિકલ લોકો માટે પણ સોસાયટીના દરવાજા બંધ કરી રહ્યા છે. ત્યારે તેમને અપીલ છે કે, અંગત સ્વાર્થ માટે નહીં પરંતુ હાલ કોરોનાના ખતરામાં પણ તેઓ હોસ્પિટલ કે ક્લીનીક જઈને લોકોને સારવાર આપી રહ્યા છે ત્યારે તેમને મદદરૂપ થવું જોઈએ નહીં કે તેમને માટે દરવાજા બંધ કરવા જોઈએ. કોરોના વાયરસને લઈને હોસ્પિટલમાં કામ કરતા ડૉક્ટરો પર સમાજ દ્વારા શંકાની નજરથી જોવા આવે છે. ત્યારે હવે રાજકોટના એક તબીબે વીડિયો જાહેર કરીને લોકોને અપીલ કરી છે.
ડોક્ટર તમારા માટે લડે છે.
રાજકોટના ડોક્ટરે વીડિયો બનાવ્યો છે. આ એવો કટોકટીનો સમય છે કે આપણે સાથે મળીને લડવું જોઈએ. નહીં કે, અંદરો અંદર એકબીજાને ખોટા રંજાડવા જોઈએ. કોરોના સામેની લડાઈ તલવાર ભાલા કે બંદૂકથી નહીં જીતી શકાય. આ લડાઈ જીતવા માટે શિસ્ત અને સંયમ જોઈશે. મેડિકલ, પેરા મેડિકલ સ્ટાફને આ રીતે શંકાની નજરે જોવો યોગ્ય નથી. અમે
અમારો પરિવાર પણ અમને કહે છે કે, શું કામ જાઓ છો?
જ્યારે ઘરથી બહાર નીકળીએ છીએ ત્યારે અમારો પરિવાર પણ અમને કહે છે કે, શું કામ જાઓ છો? 21 દિવસ તમે ઘરે બેસો શું કમી છે? પણ સૌથી પહેલા એક ડોક્ટરની ફરજ આવે કે તેના દર્દીઓનું ધ્યાન રાખવું. આજે કટોકટીના સમયે અમે કામ નહીં કરીએ તો ક્યારે કરીશું?
શંકાની નજરે જોવાનું બંધ કરો
તેમણે આ વીડિયોમાં કહ્યું છે કે, મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફને સમાજ શંકાની નજરે ન જુએ. હાલની સ્થિતિમાં પણ તબીબો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સમાજની સેવામાં લાગ્યા છે. એવામાં એમના જ ઉપર શંકા કરવી એ ખરેખર કેટલું યોગ્ય છે?