કોણ કહે છે કે મોતને મહાત નથી આપી શકાતી? રાજકોટના ચંદ્રિકા વૈદ્યે 63 વર્ષની ઉમંરે ખાલી કેન્સરને જ નહીં પણ કોરોનાને પણ મહાત આપીને જીંદગીની બાજી જીતી છે.
કેન્સર સામે લડાઈ ચાલુ હતી
કોરોનાએ પણ એન્ટ્રી મારી
કિમોથેરાપીના 12 ડોઝ લીધા
શું કહે છે ચંદ્રિકાબેન?
ચંદ્રિકાબેન કહે છે કે, ગયા વર્ષે મને સતત પેટમાં દુખાવો રહેતો હતો અને હું જમી નહોતી શકતી ત્યારે સામાન્ય ટેસ્ટ કરાવ્યા અને કેન્સરનો પણ ટેસ્ટ કરાવ્યો જેમાં 2020માં સ્વાદુપિંડનું સીધુ થર્ડ સ્ટેજનું કેન્સર ડિટેક્ટ થયું. હવે ખેલ ખરાખરીનો હતો કેમ કે આપણે ત્યાં કેન્સર એટલે કેન્સલ જેવું છે અને એવામાં કોરોના પણ પોઝિટિવ આવ્યો.
ચંદ્રિકાબેન વધુમાં કહે છે કે, પહેલા થોડુ ડિપ્રેશન પણ આવ્યું મેં કેન્સરની થેરપીમાં વાળ ઉતરી જવાની વાતોને કારણે વાળ ઉતરે એ પહેલા કપાવી નાંખ્યા હતા. કેન્સર અને કોરોના બંનેમાં પરિવાર સાથે રહેવું તેમના જીવ જોખમમાં મૂકવા જેવુ છે. પણ પછી કહ્યુ કે, લડાઈ લડવી જ પડશે. અને મારી જીવવાની ઈચ્છા જો પ્રબળ હશે તો કેન્સર કે કોરોના બંનેમાંથી એકે મને મારી નહીં શકે અને જુઓ મેં જંગ જીતી.
કેવી રહી સારવાર?
કિમોથેરાપીના 12 ડોઝ લીધા છે. કિમોથેરાપી ચાલુ હતી તેથી રોગપ્રતિકારક શક્તિ સાવ નબળી પડી ગઈ હતી. સીઆરપી 20- 22 ની વચ્ચે રહેતું હતું. આખો દિવસ રૂમમાં પૂરાઈ રહેવું પડતું હતું. રૂમનો દરવાજો ખુલ્લો રાખતી હતી. જેથી કરીને મારા પરિવારના સભ્યોને આવતા જતા જોઇ શકું. હોમ આઈસોલેટેડનો એક એક દિવસ કાઢવો મારા માટે મુશ્કેલ હતો. આખરે મારો હકારાત્મક અભિગમ,પરિવારના સાથ સહકારથી આખરે હું આ બન્ને બીમારીમાંથી બહાર નીકળી ગઈ. અત્યારે હું નોર્મલ લાઈફ જીવી રહી છું અને નાનું મોટું ઘરકામ પણ કરું છું