ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણના કારણે રાજસ્થાન સરકાર હરકતમાં આવી ગઈ છે
ગુજરાતથી રાજસ્થાન જતા પ્રવાસીઓ મૂંઝવણમાં
રાજસ્થાનમાં જતા પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત
અમદાવાદથી રાજસ્થાન જતા પ્રવાસીઓ મુશ્કેલીમાં
કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે હવે ટેસ્ટિંગની પ્રક્રિયા પણ વધારી દેવાઇ છે. વધતા કેસને લઇ હવે ગુજરાતથી રાજસ્થાન જતા પ્રવાસીઓએ ટેસ્ટ ફરજિયાત કરાવો પડશે.
રાજસ્થાનમાં જતા પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત
રાજસ્થાન જતા પ્રવાસીઓએ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાવો પડશે. જેને લઇ અમદાવાદથી રાજસ્થાન જતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર ટેસ્ટિંગની કોઇ સુવિધા નથી. ત્યારે કેટલાક લોકો ખાનગી લેબમાં ટેસ્ટ કરાવા મજબૂર થયા છે. જ્યારે કેટલાક લોકો ટેસ્ટ કરાવ્યા વિના જ રાજસ્થાન જવા નીકળી ગયા છે.
કોરોનાના વધતા સંક્રમણના કારણે રાજસ્થાન સરકારનો નિર્ણય
ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણના કારણે રાજસ્થાન સરકાર હરકતમાં આવી ગઈ છે. હવે ગુજરાતમાંથી રાજસ્થાન જવા વાળા તમામ પ્રવાસીઓનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હશે તો જ તેમને રાજસ્થાનમાં પ્રવેશ મળશે. 72 કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ મળશે. તેને લઈને તાત્કાલિક અસરથી તમામ ચેકપોસ્ટ પર તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. રાજસ્થાન સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયના પગલે અરવલ્લીની તમામ ચેકપોસ્ટો પર પ્રવાસીઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. ગુજરાત,મહારાષ્ટ્ર,કેરળ સહીત રાજ્યોના પ્રવાસીઓ માટે નિર્ણય લેવામાં ાવ્યો છે.