કોરોના સંકટમાં અમદાવાદ ગુજરાતનું એપી સેન્ટર બની ચુક્યુ છે. અત્યાર સુધીમાં 5 લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 64 કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં કાલુપુર અને ધરિયાપુર તેમજ જમાલપુરમાં કમ્યુનિટિ ટ્રાન્સમિશનના કેસ જોવા મળ્યા છે. તબલીગી જમાતમાં ભાગ લીધેલા મોટા ભાગના લોકો કોરોના પોઝિટિવ છે ત્યારે આ વિસ્તારને ક્લસ્ટર કોરોના જાહેર કરવામાં આવ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કામગીરીમાં સ્થાનિકોએ હોબાળો કરતા પોલીસ તૈનાત કરવી પડી હતી.
અમદાવાદ કાલુપુરના બલોચા વાડમાં ક્લસ્ટર ક્વોરોન્ટાઈનને લઈ વિરોધ
AMCની આરોગ્ય વિભાગની ટીમ સાથે કરાયુ બિભત્સ વર્તનનો આરોપ
અમદાવાદમાં AMC દ્વારા કાલુપુર વિસ્તારમાં કલસ્ટર ક્વોરોન્ટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..ત્યારે કાલુપુરના બલોચવાડમાં સ્થાનિક મહિલાઓએ ક્લસ્ટર ક્વોરોન્ટાઈનને લઈ વિરોધ કર્યો હતો.
કોરોનાના સેમ્પલ ટેસ્ટના લેવા માટે ગયેલી ટીમ સાથે ગેરવર્તન
AMCની આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ તપાસ માટે આ વિસ્તારમાં પહોંચી હતી.જે દરમિયાન સ્થાનિક મહિલાઓએ આરોગ્ય વિભાગની ટીમ સાથે ગેરવર્તન કર્યું હતું. સ્થાનિક મહિલાઓએ ક્વોરોન્ટાઈનને પગલે સ્થાનિકોને જરૂરી વસ્તુઓની અગવડ પડતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
સ્થાનિક મહિલાઓએ રોડ પર હોબાળો કરતા પોલીસ-RAF તૈનાત
જો કે સ્થાનિક મહિલાઓએ રોડ પર હોબાળો કરતા દરિયાપુર પોલીસ, ACP, DCP અને RAFનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તો બીજી તરફ આ સમગ્ર ઘટનાને પગલે ધારાસભ્ય ગ્યાસુદ્દીન સહિતના મુસ્લિમ અગ્રણીઓ દરિયાપુર પોલીસસ્ટેશન પહોંચ્યા હતા. અને પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવીને પોલીસ અને મેડિકલ ટીમને સાથ અને સહકાર આપવાની બાંહેધરી આપી હતી.