કોરોનાની મહામારીમાં હાઈકોર્ટે ગુજરાત સરકાર અને મપનાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અંગે ટકોર કર્યા બાદ સરકાર અને મનપા દ્વારા જાહેરનામાં અને આદેશ આપ્યાં છતાં ખાનગી હોસ્પિટલો દ્વારા મોં માંગી ફી વસૂલાતી હોવાની ઘટના સામે આવી છે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવાર માટે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે.
અર્થમ હોસ્પિટલે AMC સાથે કરેલા MOUનું કર્યુ ઉલ્લંઘન
50 ટકા રિઝર્વ બેડ રિઝર્વ હોવા છતાં દર્દી પાસેથી વસુલ્યા નાણા
6 દર્દી પાસેથી સારવારના નાણાં વસુલ્યાં
શહેરમાં એક તરફ કોરોનાનાં કેસ વધી રહ્યા છે, ત્યારે ખાનગી હોસ્પિટલોએ માનવતા નેવે મૂકી હોવાના સમાચાર મળ્યા છે. અમદાવાદમાં કોવિડ હોસ્પિટલ જાહેર કરેલી અર્થમ હોસ્પિટલે નિયમો નેવે મૂકીને ઉઘાડી લૂંટ શરૂ કરી છે. આંબાવાડી વિસ્તારમાં આવેલી અર્થમ હોસ્પિટલે AMC સાથે કરેલા MOUનું ઉલ્લંઘન કર્યું છે.
આથી આ મામલે આ મામલે આંબાવાડી વિસ્તારમાં આવેલી અર્થમ હોસ્પિટલને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કોર્પોરેશને હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરી હતી. તેમ છતાં હોસ્પિટલે AMCના 50 ટકા રિઝર્વ બેડ ખાલી હોવા છતાં દર્દીઓ પાસેથી નાણાં વસુલ્યા હતા.
સળગતા સવાલ
અમદાવાદ દર્દી પાસે કેમ વસૂલાય છે રૂપિયા?
સરકારની ગાઈડલાઈન લાગૂ પડતી નથી?
કોરોનાના કહેર વચ્ચે પણ રૂપિયા કમાવવાનું ન ભૂલ્યા?
AMC હોસ્પિટલ સામે કાર્યવાહી કરશે?
ગુજરાતમાં કોરનાના કેસ
સરકાર દ્વારા સારવારની રકમ ચૂકવાતી હોવા છતા 6 દર્દી પાસેથી સારવારના નાણાં વસુલ્યા હતા. આ સમગ્ર મામલે કોર્પોરેશનના ધ્યાને આવતા હોસ્પિટલને એક દિવસમાં ખુલાસો કરવા નોટિસ આપી છે અને જો હોસ્પિટલ ખુલાસો નહીં કરે તો એપેડેમિક એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.રાજ્યમાં કોરોનાના આજે 510 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 19,119 થયો છે. આજે 344 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 4,918 છે. રાજ્યમાં કુલ 13,011 દર્દી સારવાર લઇને ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં દર્દીનો મૃત્યુઆંક વધીને 1,190 થયો છે. અમદાવાદમાં આજે 340 પોઝિટિવ કેસ નોંધાયા છે.