કોરોના સંકટમાં સરકાર અને ખાનગી હોસ્પિટલો હાઈકોર્ટની ફટકાર બાદ પણ સુધરી રહ્યા નથી. ખાનગી હોસ્પિટલની એક બીજી દુર્ઘટના સામે આવી છે. SVP હોસ્પિટલની તૈયારીઓને લઈને પહેલા તો સરકાર બણગા ફૂંકવામાંથી ઉંચી નહોતી આવતી. COVID19 માટે સ્પેશ્યલ બેડ તૈયાર કરાયાનું પણ રટણ કરતી હતી પરંતુ વાસ્તવિકતા તો કંઈક ઓર જ હોવાનું સામે આવ્યું છે.
ખાનગી હોસ્પિટલોની મનમાની
સરકારી હોસ્પિટલોની બેદરકારી
મધ્યમવર્ગનું શું?
કોરોના શંકાસ્પદ દર્દીને ખાનગી હૉસ્પિટલમાંથી સિવિલમાં ખસેડવા માટે એમ્બ્યુલન્સનાં 20 હજાર રૂપિયા લીધા હોવાની ઘટના સામે આવી છે. ખોખરા વિસ્તારમાં રહેતા સુભાષભાઇ જાદવને શંકાસ્પદ લક્ષણો જણાતા અર્બન સેન્ટરે તેમને SVP હોસ્પિટલમાં મોકલ્યા હતા. SVP હૉસ્પિટલમાં એ દર્દીનાં સેમ્પલ લઈને કહ્યું કે, અમારે ત્યાં એકપણ બેડ ખાલી નથી. જેથી તાત્કાલિક આ દર્દીને બોપલની ખાનગી સરસ્વતી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
હૉસ્પિટલમાંથી મોડી રાત્રે દોઢેક વાગ્યે ફોન આવ્યો કે, તમારા દર્દીને વેન્ટિલેટરની જરૂર પડશે અને અમારી પાસે વેન્ટિલેટર નથી. માટે તમારા દર્દીને બીજે ખસેડી દો.જેથી પરિવારે દર્દીને ગાંધીનગર સિવિલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
હૉસ્પિટલે એમ્બ્યુલન્સ બોલાવી આપી હતી. હૉસ્પિટલમાંથી એવું કહેવાયું કે દર્દીને શિફ્ટ કરવાનો 20 હજારનો ચાર્જ ચૂકવવો પડશે. તેની રસીદ પણ આપી છે. પરિવારજનો પાસે પૈસા ન હોવાથી અન્ય સંબંધી પાસેથી ઉઘરાવીને 20 હજાર ચૂકવ્યા હતા. હૉસ્પિટલના પૈસા ખંખેરવાના કિસ્સાને કારણે ખોખરાના શૈલેષે પોતાની આપવીતીનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં લોકોની જાણ માટે વહેતો કર્યો છે.