ગુજરાત સહિત ભારતભરમાં લોકડાઉન 4 લાગૂ કરવામાં આવ્યુ છે. 31મી મે સુધી આ લોકડાઉન યથાવત રહેશે ત્યારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને લોકડાઉનમાં છુટછાટ આપવા માટે છુટ આપી છે. એવામાં ગુજરાતમાં શહેરોમાં પેટ્રલો પંપ સવારે 8થી 6 વાગ્યા સુધી ખુલ્લા રહેશે જ્યારે હાઈવે ઉપર પેટ્રોલ પંપ 24 કલાક ખુલ્લા રાખતી માર્ગદર્શિકા બહાર પાડી છે.
શહેરોમાં પેટ્રોલપંપ સવારે 8થી સાંજે 6 સુધી ખોલી શકાશે
હાઈવે પર 24 કલાક ચાલુ રાખી શકાશે પેટ્રોલપંપ
આગામી 31 મે સુધી આ નિયમ લાગુ રહેશે
રાજ્યમાં પેટ્રોલપંપના સમયને લઈ નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. શહેરોમાં સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી જ પેટ્રોલપંપ ખુલ્લા રાખી શકાશે. જ્યારે હાઈ-વે પર 24 કલાક માટે પેટ્રોલપંપ ચાલુ રહેશે. આગામી 31મી મે સુધી આ નિયમ લાગુ રહેશે.
પેટ્રોલ પંપોના સમયમાં ફેરફાર કરવા માટે આદેશ
કોરોના વાયરસ અને લૉકડાઉનની સ્થિતિને ધ્યાને રાખીને રાજ્યમાં પેટ્રોલપંપના સમયને લઈ નવી માર્ગદર્શિકા બહાર પાડવલામાં આવી છે. જેમાં પેટ્રોલપંપ આજથી 31મી મે સુધી પેટ્રોલ સવારે 8.00થી સાંજે 6.00 કલાક સુધી જ મળશે. આ નિર્ણયનું પાલન લૉકડાઉન 31મી મે સુધી કરવાનું રહેશે. રહેશે. પેટ્રોલપંપને પુરતો સ્ટોક રાખવા માટે પણ સૂચન અપાયા છે.
હાઈવે ઉપર પેટ્રોલપંપને છૂટ
હાઈવે ઉપર પેટ્રોલપંપને 24 કલાક ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી છે. સામાન્ય રીતે પેટ્રોલ પંપને પહેલા સવારે 8થી 4 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છુટ હતી જેને વધારવામાં આવી છે. અને હાઈવે માટે 24 કલાક પેટ્રોલપંપ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી છે.