ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશના કેસ વધી રહ્યા છે. 26 દિવસમાં 165 કેસ નોંધાયા છે અને છેલ્લા 12 કલાકમાં 19 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. 12 કલાકમાં નોંધાયેલા તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનમાં છે એટલે કે, આમાંથી કોઈ બહાર ગામ નથી ગયું તેમને સ્થાનિક લોકોના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસનો 3 જો તબક્કો ખુબ નજીક છે. અમદાવાદ, ભાવનગરમાં આ તબક્કો શરૂ થઈ ચુક્યો છે. તબલીગી જમાતને કારણે ભાવનગર અને અમદાવાદમાં લોકલટ્રાન્સમિશનના કેસ વધ્યા છે.
કુલ કેસના 60 ટકા કેસો લોકલ ટ્રાન્સમિશનના
રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં, 26 દિવસમાં 77 કેસ
ભાવનગરમાં 13 પૈકી 12 લોકલ ટ્રાન્સમિશનના કેસ
ગુજરાતમાં 165 કેસમાંથી 100 કેસ લોકલ ટ્રાન્સમિશનના
ગુજરાતમાં 165 કેસમાંથી 100 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. જેમાંથી 33 લોકો વિદેશપ્રવાસ કરીને આવ્યા છે જ્યારે 32 લોકો અન્ય રાજ્યોમાં મુસાફરી કરી હતી. ગુજરાતમાં થયેલા કોરોનાથી થયેલા 12 મોતમાંથી 7 એવા લોકોના મોત થયા છે જેમની કોઈ પ્રવાસ હિસ્ટ્રી છે જ નહીં. માત્ર 3 લોકો વિદેશ પ્રવાસ કર્યો હતો જ્યારે 2 લોકોએ અન્ય રાજ્યોમાં મુસાફરી કરી હતી.
કુલ કેસના 60 ટકા કેસો લોકલ ટ્રાન્સમિશનના
ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનના કેસ વધ્યા છે. ગુજરાતમાં કોરોનાના કુલ 165 કેસ નોંધાયા છે. તે પૈકી 87 લોકો સ્થાનિક સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે. અત્યાર સુધી વિદેશથી આવેલાં 33 લોકોને કોરોના થયો છે. જ્યારે અન્ય રાજ્યના પ્રવાસેથી પરત ફરેલાં 26 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ડૉક્ટરોનુ કહેવુ છે કે, કુલ કેસના 60 ટકા કેસો લોકલ ટ્રાન્સમિશનને કારણે નોંધાયા છે. હજુ પણ લોકો લોકડાઉનનો ચુસ્ત અમલ નહી કરે તો, કેસની સંખ્યામાં વધારો થઇ શકે છે.
રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં, 26 દિવસમાં 77 કેસ
અમદાવાદમાં કુલ કેસ 77 નોંધાયા છે જ્યારે તેમાંથી પાંતના મોત થઈ ચુક્યા છે. કુલ 77 કેસમાંથી 35 લોકોને લોકલ લોકોથી ચેપ લાગ્યો છે જ્યારે 27 લોકો બીજા રાજ્યોમાં ફરીને આવ્યા હતા અને 15 જ લોકો વિદેશપ્રવાસની હિસ્ટ્રી ધરાવે છે. આજે આવેલા અમદાવાદના 13 કેસ લોકલ ટ્રાન્સમિસનના છે.
ગાંધીનગરમાં લોકલ ટ્રાન્સમિશનના કેસ
ગાંધીનગરમાં કુલ 13 કેસ નોંધાયા તે પૈકી 11 લોકો પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવવાથી કોરોનાનો ચેપ લાગ્યો હતો. સાથે જ વડોદરામાં 12 કેસ નોંધાયા તેમાં 7 કેસ તો સ્થાનિક સંક્રમણને કારણે થયા છે.
ભાવનગરમાં લોકલટ્રાન્સમિશન
ભાવનગરમાં સૌથી વધુ સ્થાનિક સંક્રમણ વધ્યુ છે કેમ કે, 13 પૈકી 12 લોકો સ્થાનિક સંપર્કને કારણે ચેપ લાગ્યો છે. જામનગર અને મોરબીમાં પણ 1-1 કેસ નોંધાયો છે તે પણ સ્થાનિક સંપર્કને કારણે છે. કોઇ વિદેશ કે આંતર રાજ્ય પ્રવાસની હિસ્ટ્રી ન હોવા છતા પણ તેમને કોરોના થયો છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધી 85 લોકોને લોકલ ટ્રાન્શમિશન વધતાં કોરોનાનો શિકાર બન્યા છે. તે જોતા લાગે છે કે, ગુજરાત પર એક ખતરો મંડરાયો છે, તેથી હવે લોકડાઉનનો અમલ કરવો જ રહ્યો.