રાજ્યમાં કોરોના સામે જંગ લડવા ભલે લોકડાઉન જાહેર કરાયું હોય. પણ લોકો છે કે સમજી જ નથી રહ્યા. ગુજરાતમાં અલગ અલગ શહેરથી જે દ્રશ્યો આવ્યા છે તે ચોંકાવી દે તેવા છે. ક્યાંક લોકો શાકભાજી લેવા માટે પડા પડી કરી રહ્યા છે. તો ક્યાંક ખેડૂતો ખાતર લેવા માટે ઉમટી પડ્યા છે. આ ભીડ કોરનાના આંકડા વધુ ડરામણાં બનાવી શકે છે.
લોકોમાં જાગૃતતાનો અભાવ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં
બજારમાં જોવા મળી ભારે ભીડ
કોરોના વાયરસ ફેલાવવાનો ભય
દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. અને આ વધતા કોરોનાના કેસોને લઇને લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ જરૂરી ચીજ વસ્તુઓ લેવા જતા લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા કહેવામાં આવી રહ્યું છે. તેમ છતાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી.
શું આ રીતે લોકડાઉનનું પાલન કોરનાને રોકશે?
મહેસાણાના કડી શહેરના જ્યાં શાકમાર્કેટ બંધ થવાની જાણ થતાં જ લોકો શાકભાજી લેવા માટે ઉમટી પડ્યા. અહીં ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ રહ્યું છે કે ન તો લોકડાઉનનું. બીજી તરફ સુરતમાં પણ લોકોએ શાકભાજી લેવા માટે પડાપડી કરી છે. લોકો નિયમોને નેવે મુકીને શાકમાર્કેટમાં પહોચી રહ્યા છે. બીજી તરફ અરવલ્લીમાં ખેડૂતોએ ખાતર લેવા માટે ભીડ એકઠી કરી લીધી હતી. ખેડૂતો મોટી સંખ્યામાં ખાતર વિતરણ કેન્દ્ર પર પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોનું ટોળુ જામ્યું હતું.
ગુજરાતમાં મોતના આંકડા ડરામણાં
છેલ્લા 12 કલાકમાં 95 કેસ નોંધાયા છે. તો આજે 5 લોકો સાજા થયાં છે. અત્યાર સુધીમાં 95નાં મોત થયા છે જેમાંથી એકલા અમદાવાદમાં જ 58 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં કુલ કોરોના પોઝિટિવનો આંક 2272 પર પહોંચ્યો છે. અને એકલા અમદાવાદમાં જ 1434 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ક્યાં ક્યા નોંધાયા નવા કેસ
અમદાવાદના 61 કેસ, બોટાદના 21, રાજકોટ જિલ્લાનો 1, સુરત 17 કેસ, વડોદરા 8 કેસ અને અરવલ્લિના 5 કેસ એમ કુલ 94 કેસ પોઝિટિવ નોંધાયા છે. 2516 ટેસ્ટમાંથી 216 કેસ પોઝિટિવ આવ્યા હતા. અમદાવાદમાં 4 લોકોના મોત થયા છે જ્યારે વલસાડમાં એકનું મોત થયું છે.