VIDEO / શ્રમિકોના ટિકિટ મામલે ધાનાણીએ CM રૂપાણીને કહ્યું, હું નહીં, કાં તો પછી તમે નહીં..?

coronavirus in Gujarat paresh dhanani demanding resignation from cm rupani on migrant workers

ગુજરાતમાં કોરોના વાયરસનો ભરડો ધીરે ધીરે રાજકિય રંગે રંગાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના પરપ્રાંતિયોને પોત પોતાના વતન જવા દેવાની છૂટ આપ્યા બાદ સ્થિતિ વણસી હતી. કારણ કે, ફસાયેલા પરપ્રાંતિયો પાસે લોકડાઉનને કારણે છેલ્લા દોઢ મહિનાથી કોઈ નોકરી ધંધો નહતો એટલે પૈસા ન હતા પરંતુ તેમને પોતાના ગામ પહોંચવા માટે રાજ્ય સરકાર દ્વારા ટિકિટ વસૂલવામાં આવતા કોંગ્રેસ દ્વારા શ્રમિકોની ટિકિટનો ખર્ચ ભોગવવાની જાહેરાત બાદ ભાજપ સરકાર બચાવમાં મેદાને આવી હતી જેને પગલે પરપ્રાંતિયોનો મુદ્દો રાજકિય મુદ્દો બની ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ