ભાવનગરની જૈન સમાજની "જીતો" સંસ્થા દ્વારા હાલ કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડર મળી રહે તે માટે ઓક્સિજન બેન્કની શરૂઆત કરવામાં આવી છે.
ઓક્સિજન સિલિન્ડર બજાર ભાવ 4500 થી 5000 રૂપિયા
ભાવનગરમાં સામાજીક સંસ્થાની અનોખી પહેલ
જૈન સમાજ સંચાલિત "જીતો" સંસ્થા દ્વારા ઓક્સિજન બેન્કની શરૂઆત
હાલ સમગ્ર વિશ્વ પર વૈશ્વિક મહામારી કોરોના ની આફત આવી પડી છે તેમાં છેલ્લા થોડા મહિનાથી કોરોના એ ભારતમાં કહેર મચાવ્યો છે. આવા સંજોગોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા લોકો વિવિધ પ્રકારની કોરોના પીડિતોને મદદ થઈ શકે તેવી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ભાવનગરની જૈન સમાજની "જીતો" સંસ્થા દ્વારા હાલ કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડર મળી રહે તે માટે ઓક્સિજન બેન્કની શરૂઆત કરવામાં આવી છે.
કોરોના ની બીજી લહેર માં કોરોના નો કહેર ખુબ જ ફેલાયો છે, હાલ જે પ્રમાણે ને કોરોના ના કેસો નોંધાયા છે અને મૃત્યુદર પણ વધી રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક વિષય છે. હાલ નાની ઉંમરના વ્યક્તિઓને પણ કોરોના થતાં જ શરીરમાં ઓક્સિજન ઘટી જાય છે અને જેના કારણે નાની ઉંમરના વ્યક્તિ નો અવસાન થાય છે.
ભાવનગરના જૈન સમાજ સંચાલિત "જીતો" સંસ્થા દ્વારા ઓક્સિજન બેન્કની શરૂઆત
આવા સંજોગોમાં સમગ્ર ગુજરાત સહિત ભાવનગર જિલ્લામાં પણ ઓક્સિજનની ખૂબ જ મોટી માત્રામાં જરૂર પડી રહી છે જેને લઈને હવે ઓક્સિજનની પણ ધીમે-ધીમે ઘટ પડી રહી છે. કોરોના દર્દીના સગા સંબંધીઓને ઓક્સિજન શોધવામાં સમય જતો રહેતાં દર્દીના અવસાન થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આવા સંજોગોમાં ઓક્સિજનના કારણે કોઇ દર્દી નું અવસાન ન થાય તેવા શુભ આશયથી ભાવનગરના જૈન સમાજ સંચાલિત "જીતો" સંસ્થા દ્વારા ઓક્સિજન બેન્કની શરૂઆત કરવામાં આવી છે.
ઓક્સિજન સિલિન્ડર બજાર ભાવ 4500 થી 5000 રૂપિયા
આ ઓક્સિજન બેંકમાં તમામ સમાજના લોકોને ને કોરોના માં ઓક્સિજન સિલિન્ડર ની જરૂરિયાત હોય તેમને આ સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડર પૂરું પાડવામાં આવે છે. જે ઓક્સિજન સિલિન્ડર બજારમાં લેવા જઈએ તો 4500 થી 5000 રૂપિયામાં મળે તે સિલિન્ડર આ સંસ્થા દ્વારા તમામ વર્ગના લોકોને દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે. હાલ આ સંસ્થા પાસે 100 જેટલા સિલિન્ડર હોય જે દરરોજ લોકોને આપવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ વધુ 750 સિલિન્ડર માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે જે સિલિન્ડર આવી જતા તે પણ લોકોને વિનામૂલ્યે આપવામાં આવશે.
સંસ્થા દ્વારા વિનામૂલ્યે આપવામાં આવી રહ્યો છે ઓક્સિજન
ઓક્સિજન સિલિન્ડર મેળવીને દર્દીના સગાઓ પણ રાજીપો વ્યક્ત કરી રહ્યા છે, અને તેઓએ આ સંસ્થાનો આભાર પણ વ્યક્ત કર્યો છે. કારણ કે હાલ જે પ્રમાણે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં સૌપ્રથમ તો કોરોના ના દર્દી ને ઓક્સિજનની ઘટ્ટ થાય તરત જ ઓક્સિજન સિલિન્ડર ની જરૂર પડતી હોય છે અને સિલિન્ડર મળવા મુશ્કેલ થઈ પડ્યા હતા આવા સંજોગોમાં આ સંસ્થા દ્વારા વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે.
એક તરફ કોરોના નો કહેર મચ્યો ત્યારે બીજીબાજુ સેવાભાવી લોકો પણ સેવા ની ભાવના સાથે કામ કરવા આગળ આવ્યા છે જે પ્રસંસનીય બાબત છે