ગુજરાતમાં કોરોના સંકટમાં પરપ્રાંતિયોની ધીરજ ખુટી રહી છે છેલ્લા દોડ મહિનાથી બેરોજગારી અને ઘરમાં બંધ રહેવાને લીધે પોતાના વતન જવાની તાલાવેલીમાં હજારોના ટોળા એકઠા થઈને વિરોધ કરી રહ્યા છે એટલુ જ નહીં પરંતુ સુરતમાં પલસાણા, કડોદરા, બારડોલીમાં હજારો પરપ્રાંતિયોએ ખુદ પોલીસ પર હૂમલો કરી દીધો હતો.
સુરતમાં પોલીસ પર પથ્થરમારો , પલસાણાના વરેલી ગામમાં પથ્થરમાંરો
પરપ્રાંતીયો દ્વારા વતન જવાની માંગ સાથે પોલીસ ઘર્ષણ
1 હજારથી વધુના ટોળાએ કર્યો પથ્થર મારો
ગુજરાતમાં ફસાયેલા લાખો પરપ્રાંતિયોની ધીરજ હવે ખુટી ગઈ છે. છેલ્લા દોઢ મહિનાથી કામ-ધંધો બંધ છે. ત્યારે હવે આ પરપ્રાંતિયોએ એકઠા થઈને વતન જવાની માંગ કરી રહ્યા છે. એટલુ જ નહીં પરંતુ પોલીસ ઉપર પણ હૂમલો કરી રહી છે. આ હૂમલાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા પોલીસ અને પરપ્રાંતિયો આમને સામને આવી ગયા હતા. તસવીરો તેનો બોલતો પુરાવો છે. મહત્વનું છે કે મળતી જાણકારી મુજબ અહીં મોટાભાગના પરપ્રાંતિયો ઉત્તરપ્રદેશના છે. જ્યારે સામે ઉત્તરપ્રદેશ સરકાર તરફથી આ લોકોને પરત બોલાવવા માટે કોઈ ચોક્કસ કે યોગ્ય ગાઈડલાઈન મળી નથી. જેના પગલે હજુ સુધી આ લોકોને ગુજરાતમાંથી મોકલવાની તૈયારીઓ અટકી રહી છે.
સુરતના પલસાણા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો થયો. બિનગુજરાતી લોકોએ વતન જવાની માગ સાથે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
એક હજારથી વધુ લોકો એકઠા થતા પોલીસકર્મી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ પણ છોડ્યા હતા. પલસાણા, કડોદરા, બારડોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે.