ગુજરાતમાં કોરોનાનું તાંડવ દિવસેને દિવસે વધી રહ્યુ છે ત્યારે લોકડાઉ 3.0ને પગલે છેલ્લા દોઢ મહિનાથી નોકરી ધંધા વગર બેઠેલા પેટિયુ રળવા ગુજરાત આવેલા પરપ્રાંતિયોની હાલત સૌથી વધુ કફોડી બની છે. આ પરપ્રાંતિયોને જેવી ખબર પડી કે લોકડાઉન થયુ છે. ત્યારથી જ વતન જવાની જીદ પકડીને બેઠેલા લોકોને કેન્દ્રના આદેશથી હવે પોતાના વતન જવાની વ્યવસ્થા થઈ ગઈ છે. ત્યારે ભારે હૈયે કમાણી કરવા આવેલા લોકો ભીની આંખે વતનની વાટ પકડી છે.
પરપ્રાંતિયો દેશમાં જઈ તો રહ્યા છે પણ ભારે હૈયે
ગુજરાતમાંથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે
હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામા ંઆવ્યા છે
ગુજરાત ઉદ્યોગોથી ધમધમતુ શહેર છે. ખાવા રોટલો અને રહેવા ઓટલો અહીં આરામથી મળી જાય છે એટલે જ મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, પ. બંગાળથી કંઈ કેટલાય પરપ્રાંતિંયો અહીં પેટીયુ રળવા આવે છે. કેટલાક અહીંના થઈને અહીં વસી જાય છે તો કેટલાકના પરિવાર દેશમાં હોય છે. આવા જ પરપ્રાંતિય લોકો લોકડાઉનમાં નોકરી-ધંધા વગર ગુજરાતમાં ફસાઈ પડ્યા હતા. તેમને માટે જ ગુજરાત સરકારે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી છે.
શું કરાઈ વ્યવસ્થા
ગુજરાતમાં 8 આઈએએસ અને 8 આઈપીએસની નોડલ ઓફિસરની ટીમ બનાવીને ગુજરાતમાં ફસાયેલા અન્ય રાજ્યોના લોકો અને અન્ય રાજયોમાં ફસાયેલા ગુજરાતીઓને વતન પરત લાવવા અને મોકલવા કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરતથી બિનગુજરાતીઓને વતન લઈ જવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતથી 3600 જેટલા બિનગુજરાતીઓને પોતાના વતનમાં પહોંચાડવામાં આવશે. પાલિકાની 60 જેટલી બસોમાં રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવી રહ્યા છે. પાંડેસરા અને સચિન વિસ્તારથી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સુરતથી પ્રથમ ટ્રેન જગન્નાથ જશે. સવારે 10 વાગ્યે, બપોરે 1 વાગ્યે અને સાંજે 4 વાગ્યે ટ્રેન રવાના થશે. એક ટ્રેનના 20 કોચમાં 1200 જેટલા લોકોને મોકલાશે.
ભારે હૈયે ગુજરાત છોડી જન્મભુમિ તરફ પ્રયાણ
બીજા રાજ્યોમાંથી આવેલા લોકો અહીં નાસ્તા, ફરસાણ કે બીજા ઘણા ઉદ્યોગો, મજૂરી કામ સાથે સંકળાયેલા લોકો છે. ગુજરાતને કર્મભૂમિ બનાવનાર આ લોકોનો પરિવાર તેમની જન્મભુમિ તેમના રાજ્યમાં છે ત્યારે વતન જઈ રહેલા લોકોના મનમાં હાશકારો હતો પરંતુ તેમના મોં પર મજબૂરીનો પડછાયો પણ હતો. કારણ કે, ગુજરાતમાં તેમને મળી રહેતો રોટલો કદાચ પોતાના રાજ્યમાં નહીં મળે.
ગુજરાતમાં 8 આઈએએસ અને 8 આઈપીએસની નોડલ ઓફિસરની ટીમ બનાવીને ગુજરાતમાં ફસાયેલા અન્ય રાજ્યોના લોકો અને અન્ય રાજયોમાં ફસાયેલા ગુજરાતીઓને વતન પરત લાવવા અને મોકલવા કામગીરી હાથ ધરવામાં આવી છે.