ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સૌ કોઈને અમદાવાદના એક્સ કમિશનર વિજય નેહરાની યાદ આવી રહી છે આવો જાણીએ વિજય નેહરાએ શું એવી રણનીતિ આપી હતી?
વિજય નહેરાને જવાબદારી આપવા માંગ
MLA રાજેશ ગોહિલે CMને પત્ર લખી માંગ કરી
નેહરાએ કોરોનાને નાથવા આપી હતી મહત્વની રણનીતિ
ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યા છે અને હવે તો સરકાર ખુદ કબૂલી રહી છે કે હોસ્પિટલો ટપોટપ ફૂલ થઈ રહી છે. ત્યારે અમદાવાદ કોરોના કેસ અને મોત બંનેમાં ટોપ પર છે એવામાં ફરીથી ગઈ સાલ જેમણે કોરોનાની મહામારી માટે ટેસ્ટીંગ અને ટ્રેકિંગની ટેક્નીક અપનાવી હતી તેવા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને પરત લાવવાની માંગ ઉઠી રહી છે.
કોણે કરી માંગણી?
ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખી કરી માંગણી કરી છે કે, AMC કમિશનર તરીકે વિજય નહેરાને જવાબદારી સોંપવામાં આવે. વર્તમાન અમદાવાદ મનપા તંત્ર સંક્રમણ રોકવામાં નિષ્ફળ રહ્યું છે. વિજય નેહરા અસરકારક પગલાં લઈ શકે છે. વિજય નેહરા સાચા આંકડાઓ પ્રસિદ્ધ કરતા હતા. સરકારની છબી બગડતા નેહરાની બદલી કરી હતી.
કોરોના અંગે શું અભિગમ હતો વિજય નેહરાનો?
કોરોનાની સાયકલ સમજવી જરૂરી
પહેલા 7 દિવસમાં જેમને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો છે તેના લક્ષણો નથી દેખાતા. બીજા 7 દિવસમાં સામાન્ય લક્ષણો દેખાવા માંડે છે અને ત્રીજા 7 દિવસમાં કોરોના તેની ચરમસીમાએ પહોંચતા ચેપગ્રસ્ત વ્યક્તિનું તંદુરસ્તી કથળવા લાગે છે.એટલે જો પહેલેથી જ સર્વે દ્વારા પહેલા અઠવાડિયે જ કોરનાના ચેપની ખબર પડી જાય તો મૃત્યુદર ઘટાડી શકાય એટલે આપણે પ્રોએક્ટિવ સર્વેલન્સથી કોરોનાની ચેન તોડી શકીએ અને એને ફેલાતો રોકી શકીએ.
હાલ કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 11,403 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 117 લોકોના મોત નિપજ્યા છે આ સાથે જ 4,179 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,41,724 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 117 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 117 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5494 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 341 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 68,754 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4207 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 51 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1879 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 484 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 436 કેસ, જ્યારે ગ્રામ્યમાં 189 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 663 કેસ અને ગ્રામ્યમાં 98 કેસ નોંધાયા છે.
ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...