ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે ત્યારે વડોદરામાં પરપ્રાંતિયો દ્વારા હિજરત શરૂ કરી દેવામાં આવી છે.
વડોદરામાં લોકડાઉનના ડરથી પરપ્રાંતિઓની હિજરત
ગુજરાતમાંથી પોતાના વતન જઇ રહ્યા છે કામદારો
અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લોકડાઉનનો ડર
વડોદરામાં લોકડાઉનના ડરથી પરપ્રાંતિઓની હિજરત સામે આવી છે. વડોદરામાંથી પણકામદારો ગુજરાતમાંથી પોતાના વતન જઇ રહ્યા છે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લોકડાઉનનો ડર શ્રમિકોને સતાવી રહ્યો છે. કોરોના બેકાબુ બનતા કામદારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો લોકડાઉન થાય તો ગત વર્ષ જેવી સ્થિતિનું નિર્માણ ના થાય તે ડરથી અત્યારથી જ પરપ્રાંતિઓએ હિજરત શરૂ કરી દીધી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગઈકાલે 24 કલાકમાં ગુજરાતમાં 14097 નવા કેસ સામે આવ્યા છે જ્યારે લોકોના નિધન થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે અને દૈનિક કેસના આંકડાઓમાં ઉછાળો રોકાવાનું નામ લેતો નથી. કોરોના વાયરસના કારણે 152ના મોત થયા છે.
લોકો કોરોના સામે જીતી પણ રહ્યા છે
જોકે રાહતની વાત કહી શકાય કે એક દિવસમાં 6479 લોકોએ કોરોના વાયરસને હરાવ્યો પણ છે અને 1,69,366 લોકોને એક દિવસમાં રસી આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે રિકવરી રેટ 76.38 ટકા છે.
શું છે અત્યારનો ચિતાર
ગુજરાતમાં આજની તારીખમાં 1,07,594 એક્ટિવ કેસ છે જેમાં 396 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં મોતનો આંકડો પણ સતત વધતો જઈ રહ્યો છે. ગુજરાતમાં આજે 152 લોકોના મોત થયા છે જેના કારણે કુલ મૃતાંક 6171 પર પહોંચ્યો છે.
અમદાવાદમાં સૌથી વધારે ચિંતા
રાજ્યમાં કોરોના વાયરસનો સૌથી વધારે કહેર હાલમાં અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં એક દિવસમાં 5617 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 25 લોકો દેવલોક પામ્યા છે. 1585 લોકોએ અમદાવાદમાં કોરોના વાયરસને હરાવ્યો છે.
સુરતમાં મોત કેમ વધારે?
સુરતમાં અમદાવાદ કરતાં ઓછા કેસ આવી રહ્યા છે પરંતુ મોત અમદાવાદ જેટલી જ થઈ રહી છે. સુરત શહેરમાં એક દિવસમાં 2321 કેસ સામે આવ્યા છે જ્યારએ 25 લોકોના મોત થયા છે.
અન્ય બે શહેરોમાં પણ એજ પરિસ્થિતિ
વડોદરામાં સતત 500થી વધારે કેસ સામે આવતા ચિંતા વધી છે. વડોદરામાં 523 નવા કેસ સામે આવ્યા છે અને 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે રાજકોટમાં 462 નવા કેસ ઉમેરાયા છે અને 8 લોકોના મોત થયા છે.